89 વર્ષીય ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ

89 વર્ષીય ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડના પીઢ એક્ટર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારથી તેમના ચાહકો અને ફિલ્મ જગતમાં વ્યાપક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે, તેમના નજીકના પારિવારિક સૂત્રોએ સૌને ખાતરી આપી છે કે ચિંતા કરવા જેવી ગંભીર વાત નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્રને માત્ર નિયમિત તપાસ અને વય-સંબંધિત સ્વાસ્થ્યની કાળજી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

89 વર્ષીય ધર્મેન્દ્ર ફિલ્મ ઉદ્યોગમાં હજુ પણ સક્રિય રહેલા સૌથી વૃદ્ધ એક્ટર છે. તેઓ છેલ્લે 2024માં આવેલી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલજા જિયા'માં જોવા મળ્યા હતા. આ પહેલા તે 2023 માં આવેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી ચૂક્યા છે. આગામી દિવસોમાં ફિલ્મ 'ઇક્કિસ'માં ધર્મેન્દ્ર સૌથી નાની વયના પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

ધર્મેન્દ્ર આ ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ રહે છે, તે સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર ફેન્સ સાથે વાતચીત કરે છે. થોડા દિવસો પહેલાં, એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં, ધર્મેન્દ્ર પલંગ પર સૂઈ રહ્યા હતા અને એક પગને બેલ્ટથી બાંધીને હલાવી રહ્યા હતા. ફિઝિયોથેરાપીના વીડિયો સાથે, તેમણે લખ્યું, મિત્રો, તમારી પ્રાર્થના અને આશીર્વાદથી, હું ફિટ અને ફાઇન રહેવા માટે સખત મહેનત કરી રહ્યો છું. યોગ, કસરત અને હવે ફિઝીયોથેરાપી. હું મારા ફિઝિયોથેરાપિસ્ટ અમિત કોહલીનો આભારી છું. તમને બધાને પ્રેમ છે, કાળજી રાખજો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow