જામુની બેગમાં 70 કરોડના વ્યવહાર હતા, કુલ 250 કરોડનાં કાગળો જપ્ત

જામુની બેગમાં 70 કરોડના વ્યવહાર હતા, કુલ 250 કરોડનાં કાગળો જપ્ત

આવકવેરા ની ઇન્વેસ્ટીગેશન વિંગે જમીન દલાલ પર પાડેલા દરોડા આજે ત્રીજા દિવસે પૂર્ણ થયા હતા. દરોડામાં અત્યાર સુધીમાં રૂપિયા 250 કરોડના જમીનોને લગતા ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશનમાં બે કરોડની રોકડ અને 5 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

બુધવારે ઓપરેટ કરાયેલા એક લોકરમાંથી 40 લાખ રોકડા મળ્યા હતા. દરમિયાન જામુ શાહના ઘરમાંથી ફેકવામાં આવેલી એક બેગમાં 70 કરોડના જમીનના વ્યવહાર હોવાનું તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. દરોડામાં તમામ સ્થળ પરથી જ પ્રાપ્ત કરાયેલા ડોક્યુમેન્ટ અધિકારીઓએ સુરક્ષિત કરી લીધા હતા. કોઈ ગેરરીતિ ન થાય એ માટે આવા ડોક્યુમેન્ટ સ્કેન કરી લેવામાં આવે છે.

આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગે જમીન દલાલ ઉપરાંત મની લેન્ડર સહિત કુલ 6 જગ્યાએ તપાસ કરી હતી જેમાં સુરત અને સોનગઢનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો. સોનગઢના કિરીટ મહેતા ઉપરાંત સુરતના અર્જુન પટેલ, બળવંત પટેલ અને જામુ શાહને ત્યાં તપાસ કરાઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow