દિલ્હીથી સિડની જઈ રહેલા 7 મુસાફરો સીટમાં જ ઉછળતાં ઘાયલ

દિલ્હીથી સિડની જઈ રહેલા 7 મુસાફરો સીટમાં જ ઉછળતાં ઘાયલ

દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે અચાનક જ હવામાં ઝટકા ખાવા લાગી. આ દરમિયાન 7 મુસાફરો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એર ઈન્ડિયાના B787-800 એરક્રાફ્ટ VT-ANY AI-302 ફ્લાઈટ મંગળવારે દિલ્હીથી રવાના થઈ હતી. સિડની નજીક પહોંચતા સમયે ખરાબ હવામાનને કારણે પ્લેનને આંચકા લાગવા લાગ્યા હતા.

ક્રૂએ અકસ્માત દરમિયાન ગભરાયેલા અને ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર આપી હતી. આ દરમિયાન મુસાફરો તરીકે મુસાફરી કરી રહેલા ડૉક્ટર અને નર્સે પણ ઘાયલોને મદદ કરી હતી. સિડની એરપોર્ટ પર ઉતર્યા બાદ 3 મુસાફરોને તબીબી સારવાર મળી હતી. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

ડીજીસીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિડની એરપોર્ટ પર 7 ઘાયલ મુસાફરોની સારવાર કરવામાં આવી હતી. જો કે, કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. હજુ સુધી આ ઘટના પર એર ઈન્ડિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow