6 થી 7 માસના શિશુઓને પણ ઓરી થતાં તબીબો ચોંક્યા રોજના 15 કેસો : WHO જેેનેટિકલ એનાલિસિસ કરશે

6 થી 7 માસના શિશુઓને પણ ઓરી થતાં તબીબો ચોંક્યા રોજના 15 કેસો : WHO જેેનેટિકલ એનાલિસિસ કરશે

જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ બાળદર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે આમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે જેમાં અત્યાર સુધી ન થતા હોય તેવા 6થી 7 માસના બાળકને પણ ઓરી થવા લાગી છે. જેના કારણે ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા છે અને આ મામલે બાળદર્દીઓના સેમ્પલ લઈ ડબલ્યુએચઓ તેનું જેનેટિકલ એનાલિસીસ કરવામાં લાગી ગયું છે. જેથી આનું કારણ જાણી શકાય.

શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ બાળદર્દીઓથી ઉભરાઈ રહી છે. અહીં દાખલ થયેલા બાળકોની સંખ્યા ક્ષમતા કરતા બમણી થઈ ગઈ છે જેના કારણે એક ખાટલા પર બબ્બે બાળકને સૂવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન ડોક્ટરોના આ બાળદર્દીઓની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં કદી ન બનતું હોય તેમ દરરોજના 15 જેટલા કેસ ફક્ત ઓરીના આવી રહ્યા છે. આમાં પણ એવા કેસ સામે આવ્યા છે જેમાં 6-7 માસના બાળકને પણ ઓરી થઈ છે. જેના કારણે ડોક્ટરો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.

સામાન્ય રીતે 9 માસ સુધી ઓરી થવાની શક્યતા નહીંવત હોય છે પરંતુ આ નવા ઓરીના રોગથી ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા છે અને બાળકોના સેમ્પલ લઈ ડબલ્યુએચઓ દ્વારા તેનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી આ થવાનું કારણ જાણી શકાય. ડોક્ટરો પણ આવી ઘટનાને વિરલ ગણાવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow