જસદણની ફ્લોર મિલમાંથી 25 હજારની રોકડની ઉઠાંતરી

જસદણની ફ્લોર મિલમાંથી 25 હજારની રોકડની ઉઠાંતરી

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલી ફ્લોરમીલમાંથી ત્યાં ઓપરેટર તરીકે કામ કરતા પરપ્રાંતીય પરિવારે માલિકે ખાનામાં રાખેલા રૂ.25 હજારની ચોરી કરી નાસી છૂટ્યા અંગેની ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ફરિયાદી હિતેષભાઈ નારણભાઈ ભુવા(ઉ.વ.32)(રહે-ચિત લીયા રોડ, ગજાનન રેસીડન્સી, ફલેટ નં.102, જસદણ) એ જણાવ્યું હતું કે, તેઓ જસદણમાં બજરંગ પાર્કમાં સ્વરા એકસપોર્ટ નામે ફલોરમીલ અને વૃંદાવન ખાનગી સ્કૂલનું સંચાલન કરે છે.

ફલોરમીલમાં મશીન ઓપરેટર તરીકે મૂળ મીરઝાપુરનો રાજુ ઉર્ફે રાજકુમાર શીલાજીતકુમાર છેલ્લા 6 મહીનાથી કામ કરતો હતો અને તે પરિવાર સાથે ત્યાં જ રહેતો હતો. દરમિયાન ગત તા.25 ના રોજ ફલોરમીલના હીસાબ પેટે રૂ.25 હજાર રોકડા આવેલા હતા. બાદમાં તેઓ તેની સ્કૂલે ગયા હતા. બાદમાં સાંજના 6 વાગ્યે ફરિયાદી ફલોરમીલ ખાતે ગયા તો તેના ઓપરેટર રાજુ ઉર્ફે રાજકુમાર અને તેનો પરિવાર જોવામાં આવ્યો નહી. જેથી તેને ફોન કરતા તે રાશન લેવા ગયો છે, તેવું કહ્યું હતું અને મિલ બંધ કરી દીધી હતી.

બાદમાં ખાનામાં તપાસ કરતા તેમાં રાખેલા રૂ.25 હજાર ગાયબ થઈ ગયા હતા. જે બાબતે રાજુની તપાસ કરતા તે મળી આવેલ નહીં અને રૂ.25 હજારની ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ પરથી જસદણ પોલીસે ફલોરમીલમાં રહેલા સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર પરિવારને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow