બંગાળી વેપારીની દુકાનમાંથી 25 લાખના સોનાની તસ્કરી

બંગાળી વેપારીની દુકાનમાંથી 25 લાખના સોનાની તસ્કરી

રાજકોટમાં પેલેસ રોડને લાખેણો વિસ્તાર કહેવામાં આવે છે.જ્યાં લોકો ઘરનું વાસ્તુ,ઘરની ખરીદી, સોના-ઘરેણાની ખરીદી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ખરીદી કરવા આવે છે.ત્યારે પેલેસ રોડ પર અગાઉ અનેક વાર ચોરી અને લૂંટમાં બનાવ બની ચુક્યા છે.ત્યારે ગઇકાલે પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરની સામે રાજશ્રુંગી બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી ઓર્નામેન્ટની દુકાનમાંથી અંદાજિત 425 ગ્રામ સોનુ રૂપિયા 25 લાખનું ચોરી થયાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો

ચાર બંગાળી કારીગર કામ કરે છે
પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમજ ઓફિસમાં કામ કરતા કારીગરોને પૂછપરછ કરતા તમામ અલગ અલગ રટણ કરતા હોય જેથી તમામને પોલીસમાં થકે લઈ જઈ પૂછપરછ આદરી છે.વધુ વિગતો મુજબ,પેલેસ રોડ પર આશાપુરા મંદિરની સામે આવેલા રાજશ્રુંગી બિલ્ડીંગના ત્રીજા માળે એસ.એમ.ઓનામેન્ટ નામની ઓફિસ 345 નંબરની ધરાવતા મયુદ્દીન બંગાળીએ જણાવ્યું હતું કે,પોતે સોની બજારના અલગ અલગ વેપારીઓ પાસેથી સોનુ આવે તેના ઓર્ડર મુજબ દાગીના બનાવે છે અને તે ઘણા વર્ષોથી રાજકોટ જ રહે છે અને તેમની બીજા ચાર બંગાળી કારીગર કામ કરે છે.

અમારી ઓફિસમાં સોની વેપારીઓનું અંદાજિત 400 થી 425 ગ્રામ સોનુ પડેલું હતું અને તેમના દાગીના ઓર્ડર મુજબ બનાવવાના હતા.ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યા સુધી સોની કામ કર્યા બાદ ચારેય કારીગર ઓફિસ બંધ કરી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને નિત્ય ક્રમ મુજબ આજે વહેલી સવારે ચારેય કારીગર ઓફિસ ખોલી પોતાના કામ માટે ટેબલનું ખાનું ખોલી સોનુ લેવા ગયા ત્યારે તેમાં હતું નહીં જેથી તારે કારીગર મને જાણ કરતા હું તુરંત જ મારી ઓફિસે પહોંચી ગયો હતો અને મેં તુરંત જ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow