રાજકોટના વેપારી સાથે 25.53 લાખની ઠગાઇ

રાજકોટના વેપારી સાથે 25.53 લાખની ઠગાઇ

શહેરના આર.કે. નગર મેઇન રોડ પર ભગતસિંહ ટાઉનશિપમાં રહેતા અને શ્રીજી કોર્પોરેશનના નામથી સર્જિકલ પ્રોડક્ટનો ભાગીદારીમાં વેપાર કરતા ભૌતિકભાઇ ગોપાલભાઇ કરકરે નીરવ કાનજી ચભાડિયા, ભક્તિનગર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી વી ટ્રાન્સ ઇન્ડિયા લિ.ના મેનેજર સહિતનાઓ સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષ પૂર્વે આરોપી નીરવે પોતાનો નંબર મેળવી રૂ.25.53 લાખની કિંમતના છ લાખ ગ્લોવ્ઝનો ઓર્ડર આપ્યો હતો. તેને ચેકનો ફોટો મોકલી ટ્રાન્સપોર્ટમાં માલ મોકલી આપવા કહ્યું હતું.

જેથી તે માલ આગ્રા ખાતે મોકલી આપ્યા બાદ આરોપીએ બતાવેલો ચેક પોતાને નહિ મળતા તેને કોરોનાનું કારણ આગળ ધર્યુ હતું. પૈસા ન મળવાને કારણે માલ પરત મેળવવા માટે ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા માલ આગ્રાને બદલે મથુરા પહોંચી ગયો હોવાનું અને નીરવ ચભાડિયાએ કોઇ કાગળો બતાવ્યા વગર માલ છોડાવી લીધો હોવાનું જાણવા મળ્યું. બાદમાં ટ્રાન્સપોર્ટ ઓફિસે જઇને વાત કરતા તેમને માલ પરત અપાવી દેવાની વાત કરી હતી. નીરવે ન રૂપિયા ચૂકવ્યા કે ટ્રાન્સપોર્ટવાળાએ માલ પરત નહિ અપાવતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow