રાજકોટની બેંકોમાં 2000ની રૂ.10 કરોડની નોટ જમા થઇ

રાજકોટની બેંકોમાં 2000ની રૂ.10 કરોડની નોટ જમા થઇ

રિઝર્વ બેંકે 2000ની નોટ અંગે બહાર પાડેલા નોટિફિકેશન બાદ મંગળવારથી બેંકોમાં નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટ શહેરમાં પણ જુદી જુદી બેંકમાં મંગળવારે સવારથી જ લોકો 2000ની નોટ વટાવવા માટે પહોંચ્યા હતા. આખા દિવસ દરમિયાન આશરે 5 હજાર લોકોએ 2000ની નોટ બેંકમાં જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે અને રાજકોટમાં નોટ બદલવાના પહેલાં જ દિવસે રૂ.10 કરોડની નોટ બેંકોમાં જમા થઇ છે. 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકોએ શરૂઆત કરી છે. નોટ બદલવાની શરૂઆત થતાં સવારે બેંક શરૂ થતાં જ લોકોની અવરજવર શરૂ થઈ હતી.

બેંકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેવી રીતે લોકો 2000ની નોટ બદલવા આવી રહ્યા છે તેની સામે પૈસા પરત આપવા બેંકને 500ની નોટ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. હાલ બેંકોમાં 500ની જગ્યાએ 100 અને 200ની નોટ આપવામાં આવી રહી છે. હજુ આગામી દિવસોમાં 2000ની નોટ બદલવા આવનાર લોકોની સંખ્યા વધવાની પણ સંભાવના છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow