ઘોડિયામાં સૂતેલી બાળકીને અડપલાં કરતાં વર્ષના ખેતર માલિકને 20 વર્ષની કેદ

ઘોડિયામાં સૂતેલી બાળકીને અડપલાં કરતાં  વર્ષના ખેતર માલિકને 20 વર્ષની કેદ

બે વર્ષ અગાઉ લાખણીના ખેરોલા ગામમાં ઘોડીયામાં સૂતેલી 13 મહિનાની માસૂમ બાળકીને અડપલા કરનાર વિકૃત આધેડને દિયોદર સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. લાખણી તાલુકાના ખેરોલા ગામમાં બે વર્ષ અગાઉ 14 માર્ચ 2021ના રોજ 13 માસની દીકરી ઘોડિયામાં સૂતી હતી અને તેની માતા બાજુના ખેતરમાં છાશ લેવા માટે ગયા હતા.

તે દરમિયાન 55 વર્ષનો ખેતર માલિક હીરાભાઈ ચેલાભાઈ રબારીએ આવી ઘોડિયામાં સૂતેલી 13 માસની દીકરીના ગુપ્ત ભાગે અડપલા કરી ઇજા પહોંચાડી હતી. જે બાદ બાળકી રડવા લાગી અને મેડિકલ તપાસ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગ અડપલા કર્યાનું ખુલતા માસૂમ દીકરીની માતાએ આગથળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ઘોડીયામાં સૂતેલી બાળકીને અડપલા કર્યા
આ અંગેનો કેસ શુક્રવારે દિયોદર એડિશનલ સેશન જજ કે.એસ.હિરપરાની કોર્ટમાં ચાલી જતા ફરજ પરના સરકારી વકીલ ડીવી ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી હીરાભાઈ ચેલાભાઈ રબારીને 20 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ અને ભોગ બનનારની માતાને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

વિકૃત આધેડને દિયોદર સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
આરોપી સામે 12 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડ્યા હતા. દૂરથી માતા જોઈ ગઈ હતી, બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળ્યું : ઘટના બે વર્ષ જૂની છે ખેતરમાં ઘોડિયામાં બાળકી સાથે ગંદી હરકત કરતા તેની માતા જોઈ ગઈ હતી નજીક આવીને જોયું તો બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળી રહ્યું હતું. તમામ પુરાવાઓના આધારે આરોપીને 20 વર્ષની સજા થઈ હતી ખરેખર આવા કિસ્સામાં ફાંસીની જરૂર હતી.
આરોપીને પત્ની કે સંતાનો નથી
વિકૃતિની પરાકાષ્ઠા દર્શાવનાર ખેતરમાં એકલો જ રહેતો હતો. તેને પત્ની કે બાળકો નહોતા, અને હવે તે 20 વર્ષ સુધી જેલમાં રહેશે.

સમાજ માટે કલંકરૂપ ઘટના

સમાજ માટે આ એક કલંકૃપ ઘટના છે નાના બાળકોને પોતાની કોઈ સલામતી નથી ? કોના ઉપર વિશ્વાસ રાખવો? આ ભોગ બનનાર બાળક હજુ તેની માતા કે પિતાને ઓળખતું પણ નથી આવા નાના બાળકને પણ ભોગ બનવું પડે છે આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે, આવા વાસના ભૂખ્યા હેવાન વરુઓને સખતમાં સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ તેથી નાના બાળકોની પૂરતી સલામતી રહે અને આવા ગંભીર ગુનાઓનું પ્રમાણ ઓછું થાય. એમ ડી.વી ઠાકોર સરકારી વકીલે કહ્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow