સુરતમાં પ્રથમ વખત 600 કરોડના 2 લાખ કેરેટ રફ હીરાનું વ્યૂઈંગ થશે

સુરતમાં પ્રથમ વખત 600 કરોડના 2 લાખ કેરેટ રફ હીરાનું વ્યૂઈંગ થશે

શહેરમાં પ્રથમ વખત 2 લાખ કેરેટ રફ હીરાનું વ્યૂઈંગ થશે. વિશ્વભરમાં રફની હરાજી માટે જાણીતી કંપની આ વ્યુંઈગ કરશે. જે જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ઈચ્છાપોર ડાયટ્રેડ સેન્ટરમાં 3 જૂનથી થશે અને 3 દિવસ સુધી ચાલશે. ડાયટ્રેડ સેન્ટર શરૂ થયા પછી અત્યાર સુધીમાં 8 વખત વ્યુંઈગ થયા છે. તે કંપનીઓ 70 હજાર કેરેટ સુધીની રફ લાવીને વ્યુઈંગ કરતી હતી. પરંતુ અન્ય એક કંપની પ્રથમ વખત 600 કરોડથી વધારે કિંમતની 2 લાખ કેરેટ રફ હીરાની હરાજી કરશે.

જે-તે કંપની તેના દેશમાંથી ફ્લાઈટ મારફતે મુંબઈ રફ હીરા મોકલે છે. ત્યાર બાદ સુરત આવી ઈચ્છાપોરના ડાયટ્રેડ સેન્ટરમાં જાય છે. જે વેપારીઓને રફ ખરીદવામાં રસ હોય તે વેપારીઓ એન્ટ્રી મોકલે છે. અને ત્યાર બાદ તેમને રફ જોવા દેવા માટે હરાજીમાં પ્રવેશવા દેવામાં આવે છે. વ્યૂઈંગ થયા બાદ જે-તે કંપની રફ પરત લઈ જાય છે અને ત્યાર બાદ હરાજી થાય છે.

શહેરમાં 8 હજારથી વધારે હીરા કંપની, 2400 કરોડનું વ્યૂઈંગ
શહેરમાં 8 હજારથી વધારે હીરાકંપની છે. સુરતમાં જ કટ એન્ડ પોલિશ્ડ થતું હોવાથી રફની હરાજી કરવા ઈચ્છાપોરમાં સેન્ટરનું બનાવાયું છે. ગત ઓગસ્ટથી વ્યૂઈંગ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં અંદાજે 2400 કરોડના રફ હીરાનું વ્યૂઈંગ થઈ ચુક્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow