દેશભરમાં છેલ્લાં સાડા પાંચ વર્ષમાં 2.75 લાખ બાળકો ગુમ થયાં

દેશભરમાં છેલ્લાં સાડા પાંચ વર્ષમાં 2.75 લાખ બાળકો ગુમ થયાં

છેલ્લાં સાડા પાંચ વર્ષમાં દેશભરમાં 2 લાખ 75 હજાર 125 બાળકો ગુમ થયાં છે. મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ બાળકો ગુમ થયાં છે. એમપીમાં ગુમ થયેલાં બાળકોની સંખ્યા 61 હજારથી વધુ છે. રાજ્યો પાસેથી મળેલી માહિતીના આધારે કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. સંસદમાં બાળકોના ગુમ થવાના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે ગુમ થયેલાં બાળકોમાંથી 2.4 લાખ બાળકોને પણ શોધી કઢાયાં છે. દેશભરમાં હજુ પણ 35 હજાર બાળકો ગુમ છે. જે બાળકોનો પત્તો લાગ્યો નથી તેમાં મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં બાળકો વધુ છે. ગુમ થયેલાં બાળકોને શોધવા માટે કેન્દ્ર સરકારની ચાઈલ્ડ હેલ્પલાઈન દેશભરમાં કાર્યરત છે. તલાશી માટે એક ટ્રેક ચાઇલ્ડ પોર્ટલ પણ છે. બીજી ચોંકાવનારી વાત એ છે કે ગુમ થયેલાં બાળકોમાં છોકરીઓની સંખ્યા (2,12,825) છોકરાઓ (62,237) કરતાં 3 ગણી વધારે છે.

બંગાળ સહિત સાત રાજ્યના 78% બાળકો ગુમ
ગુમ થયેલાં બાળકોના મામલે પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે. અહીં 49 હજારથી વધુ બાળકો લાપતા થયાં છે. રિપોર્ટ અનુસાર, 7 રાજ્યો મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને છત્તીસગઢમાં સૌથી વધુ બાળકો ગુમ થયાં છે. આ તમામ રાજ્યોમાં ગુમ થયેલાં બાળકોની કુલ સંખ્યા 2 લાખ 14 હજાર 664 છે. એટલે કે કુલ ગુમ થયેલાં બાળકોમાંથી 78% બાળકો ફક્ત આ 7 રાજ્યોમાંથી લાપતા થયાં છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow