નેવૈદ્ય કરવા ગયેલા પરિવારના મકાનમાં 2.72 લાખની ચોરી

નેવૈદ્ય કરવા ગયેલા પરિવારના મકાનમાં 2.72 લાખની ચોરી

શહેરમાં વધુ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી માલમતાનો હાથફેરો કરી ગયા છે. આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર, માધવવાટિકા-6માં રહી પ્લમ્બિંગનું કામ કરતા સાગરભાઇ મનોજભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મૂળ ગામ જેતપુરમાં માતાજીના નેવૈદ હોય ગત તા.29ની બપોરે ત્રણ વાગ્યે માતા-પિતા સહિતના પરિવારના સભ્યો સાથે જેતપુર ગયા હતા. પ્રસંગ પૂરો કરી તા.30ની બપોરે દોઢ વાગ્યે પરત રાજકોટ આવ્યા ત્યારે બંધ મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.

જેથી ઘરમાં જઇ તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ અને કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા. કબાટની તિજોરી તપાસતા અંદર રાખેલા રૂ.2,72,300ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં ગાયબ હતા. આમ 22 કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા હોય આજી ડેમ પોલીસને જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતા પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટના નિષ્ણાતોની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow