નેવૈદ્ય કરવા ગયેલા પરિવારના મકાનમાં 2.72 લાખની ચોરી

નેવૈદ્ય કરવા ગયેલા પરિવારના મકાનમાં 2.72 લાખની ચોરી

શહેરમાં વધુ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી માલમતાનો હાથફેરો કરી ગયા છે. આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર, માધવવાટિકા-6માં રહી પ્લમ્બિંગનું કામ કરતા સાગરભાઇ મનોજભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મૂળ ગામ જેતપુરમાં માતાજીના નેવૈદ હોય ગત તા.29ની બપોરે ત્રણ વાગ્યે માતા-પિતા સહિતના પરિવારના સભ્યો સાથે જેતપુર ગયા હતા. પ્રસંગ પૂરો કરી તા.30ની બપોરે દોઢ વાગ્યે પરત રાજકોટ આવ્યા ત્યારે બંધ મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.

જેથી ઘરમાં જઇ તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ અને કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા. કબાટની તિજોરી તપાસતા અંદર રાખેલા રૂ.2,72,300ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં ગાયબ હતા. આમ 22 કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા હોય આજી ડેમ પોલીસને જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતા પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટના નિષ્ણાતોની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow