રાજકોટ મવડી પ્લોટમાં અવાવરું મકાનમાં દરોડો પાડતા 18 જુગારી પકડાયા

રાજકોટ મવડી પ્લોટમાં અવાવરું મકાનમાં દરોડો પાડતા 18 જુગારી પકડાયા

શહેરના મવડી પ્લોટ સામે એક અવાવરું મકાનમાં જુગાર ક્લબ ચાલુ હોવાની એલસીબી ઝોન-2ના સ્ટાફને માહિતી મળતા પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે સોમવારે બપોરે મવડી પ્લોટ-4 રેલવે ટ્રેક સામે આવેલા અવાવરું મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા પૂર્વે અવાવરું મકાનને કોર્ડન કરી લીધું હોય કોઇ જુગારીને ભાગવાની તક આપી ન હતી. દરોડા સમયે 18 શખ્સ મળી આવ્યા હતા. જેમાં એક શખ્સ પત્તાં બાટી અંદર બહારનો જુગાર રમાડતો હતો. જ્યારે બાકીના શખ્સો પૈસા લગાડી જુગાર રમતા હતા.

પોલીસે પત્તાં બાટી રહેલા શખ્સની પૂછપરછ કરતા તે લોહાનગર, મવડી ફાટક પાસે રહેતો શ્રવન ઉર્ફે સરવન મુન્ના મકવાણા હોવાનું જણાવ્યું હતું. જ્યારે જુગાર રમતા અલી રાજુ સાદીકોટ, સુરવીરસિંહ કિશોરસિંહ મકવાણા, કૈલાશ કાંતિ અગ્રાવત, સુરેશ બચુ રાઠોડ, અશ્વિન બાબુ મકવાણા, અબ્દુલ કચરા પાયક, કલ્પેશ રમેશ ગણાત્રા, અતુલ પ્રવીણ રાઠોડ, છગન ડાયા ખેતરિયા, પ્રહલાદ રામજી યાદવ, શબ્બીર નુરમામદ કાદરી, શૈલેષ નવિન વિભાપર, રફીક ભીખુ મલેક, મનોજ ખીમજી રાઠોડ, પીયૂષ ધીરૂ રાઠોડ, જયેશ જગદીશ વ્યાસ, ભરત કાંતિ અગ્રાવત અને મોહન રવજી મકવાણાને પકડી રૂ.1,04,300ની રોકડ કબજે કરી છે. જુગાર ક્લબ ગોંડલ રોડ, ઉદ્યોગનગર કોલોનીમાં રહેતા ઇમ્તિયાઝ વલી સોરાની હોવાનું અને તેને જુગાર રમાડવા માટે ઇમ્તિયાઝ રોજના રૂ.500 આપતો હોવાનું જણાવ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow