18-25 વર્ષના યુવાવર્ગ 12-18 મહિને સ્માર્ટફોન બદલી નાંખે છે

18-25 વર્ષના યુવાવર્ગ 12-18 મહિને સ્માર્ટફોન બદલી નાંખે છે

વિશ્વના મોટાભાગના દેશોએ ચીન સાથે છેડો ફાડ્યો છે જેનો લાભ ભારતને મળી રહ્યો છે. વિશ્વની અનેક સ્માર્ટફોન કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરી રહી છે અને ઉત્પાદન ક્ષમતાને વેગ આપવા પર કામ કરી રહી છે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝ મેક ઇન ઇન્ડિયાને કટીબધ્ધ છે. બજેટ સેગમેન્ટમાં તેમજ પ્રીમિયમ સેગમેન્ટમાં સ્માર્ટફોનની માગમાં ઝડપી વધારો જોવા મળ્યો છે.

દેશમાં વાર્ષિક ધોરણે માગ 15.7 કરોડ યુનિટ્સ રહી છે જે આગામી બે વર્ષમાં 18 કરોડને ક્રોસ થઇ જશે તેવો અંદાજ છે. એટલું જ નહિં દેશના 18 થી 25 વર્ષના યુવાવર્ગ 12 થી 18 મહિનામાં સ્માર્ટફોન ડિવાઇઝ બદલી નાંખે છે જેની પાછળનું મુખ્ય કારણ ટેક્નોલોજી ઝડપી અપગ્રેડ થવા લાગી છે તેમ ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીઇઓ અરિજીત તાલાપાત્રાએ જણાવ્યું હતું વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે ગ્રામ્ય વિસ્તારમાં હજુ બેજટ ફોનની માગ સૌથી વધુ રહી છે. બજેટ સેગમેન્ટમાં આઇટેલ મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કર્યો છે અને દર મહિને 20 લાખ યુનિટ અને વાર્ષિક ધોરણે 2.4 કરોડ યુનિટ્સના ઉત્પાદન કરે છે.

કંપની મેક ઇન ઇન્ડિયાને સમર્થન આપે છે અને તેણે નોઇડામાં જંગી રોકાણ કર્યું છે આ ઉપરાંત 3900થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. કંપની ભારતમાં મોબાઈલ ફોન ઇન્ડસ્ટ્રીઝમાં મોખરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow