ગુજરાતના 10357 શતાયુ મતદાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં 3866

ગુજરાતના 10357 શતાયુ મતદાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં 3866

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ વય જૂથમાં મતદારોની સંખ્યા અલગ પાડવામાં આવી છે તે પૈકી 10357 મતદાર એવા છે જેમની ઉંમર 100 વર્ષ કરતા પણ વધુ છે તેઓ દેશની ગુલામી અને આઝાદી બંનેના સાક્ષી રહી ચૂક્યા છે. આ તમામને મતદાન કરવા માટે તંત્રએ તૈયાર કર્યા છે. આ શતાયુ મતદારોની કુલ સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છમાં 3866 મતદાર છે અને તેમાં પણ સૌથી વધુ 628 મતદાર ભાવનગર જિલ્લામાં છે જ્યારે સૌથી ઓછા પોરબંદરમાં 109 નોંધાયા છે જ્યારે રાજકોટમાં આ સંખ્યા 547 છે.

આ તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડી રહ્યું છે. જે લોકો મતદાન મથક સુધી પહોંચી શકે તેમ નથી તેમની અરજીને લઈને બીએલઓ દ્વારા પોસ્ટલ બેલેટ ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત દિવ્યાંગ અને અશક્ત મતદારોના કિસ્સાઓમાં ઘરેથી મતદાન મથક સુધી લઈ જવા માટે ખાસ વાહનો પણ ફાળવવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં શતાયુ મતદારોની સંખ્યા

ભાવનગર628
રાજકોટ547
કચ્છ444
જૂનાગઢ395
અમરેલી372
જામનગર298
ગીર સોમનાથ278
સુરેન્દ્રનગર278
મોરબી175
દ્વારકા174
બોટાદ168
પોરબંદર109

રાજકોટમાં 80થી 100 વર્ષના 52000થી વધુ મતદાર
રાજકોટ જિલ્લામાં કુલ 23,07,237 મતદાર નોંધાયા છે. આ પૈકી 18થી 19 વર્ષ એટલે કે પ્રથમ વખત મતદાન કરનારાઓની સંખ્યા 43,477 છે જ્યારે 20થી 29 વર્ષની વય જૂથમાં 4,31,361 આ રીતે જોતા 30 વર્ષ કરતા ઓછી ઉંમર હોય તેવા મતદારોની સંખ્યા 4,74,838 છે. 30થી 39 વર્ષની વય જૂથમાં 5,70,267 જે સૌથી વધુ છે. જ્યારે 80થી વધુ વર્ષની ઉંમરના 52176 મતદાર છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow