દેવી સતીના ક્રોધથી પ્રકટ થયાં હતાં છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, ઘુમાવતી, બગલામુખી સહિત 10 મહાવિદ્યા

દેવી સતીના ક્રોધથી પ્રકટ થયાં હતાં છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, ઘુમાવતી, બગલામુખી સહિત 10 મહાવિદ્યા

આજે માહ મહિનાની ગુપ્ત નવરાત્રિનો બીજો દિવસ છે અને દેવી સાધનાનો આ તહેવાર 30 જાન્યુઆરી એટલે કે સોમવાર સુધી ચાલશે. ગુપ્ત નવરાત્રિ વર્ષમાં બે વખત આવે છે, અને બે વખત પ્રગટ નવરાત્રિ આવે છે. ગુપ્ત નવરાત્રિમાં દેવીની દસ મહાવિદ્યાની પૂજા કરવામાં આવે છે. મહાવિદ્યાઓના સાધનાના નિયમો ખૂબ જ મુશ્કેલ છે. જો સાધનામાં નાનીએવી પણ કોઈ ભૂલ ન થવી જોઈએ. એટલા માટે ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવતી આધ્યાત્મિક સાધનાઓ નિષ્ણાત બ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, દેવી સતીના ક્રોધને કારણે દસ મહાવિદ્યા પ્રગટ થઈ હતી. સતી માતા પ્રજાપતિ દક્ષની પુત્રી હતાં. દક્ષને શિવ પસંદ ન હતા. દક્ષ જે સમયે યજ્ઞ કરી રહ્યા હતા એ સમયે યજ્ઞમાં ભગવાન શિવ સિવાય તમામ દેવતાઓ, ઋષિઓ અને મુનિઓને બોલાવ્યા હતા.

દેવી સતીને ખબર પડી કે તેના પિતા યજ્ઞ કરી રહ્યા છે, તેથી તેણે પણ પિતા પાસે જવાની તૈયારી કરી હતી. સતીએ ભગવાન શિવને કહ્યું કે તે યજ્ઞ માટે તેના પિતાના સ્થાને જવા માગે છે. શિવજીએ સતી માતાને કહ્યું, અમને યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. એટલા માટે આપણે ત્યાં ન જવું જોઈએ.

તો બીજી તરફ દેવી સતીએ કહ્યું હતું, પિતા પાસે જવા માટે કોઈ આમંત્રણની જરૂર હોતી નથી. શિવજીએ ઘણું સમજાવ્યું, પરંતુ સતી તેના પિતાના ઘરે જવાની જીદ કરી રહી હતી. શિવ દેવી સતીને રોકી રહ્યા હતા, જેના કારણે દેવી ક્રોધિત થઈ ગયાં અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

જ્યારે શિવજી દેવીને ક્રોધિત જોઈને ત્યાંથી જવા લાગ્યાં ત્યારે માતા સતીના દસ અલગ-અલગ સ્વરૂપો દસ દિશાથી પ્રગટ થયાં હતાં. આ દસ સ્વરૂપને જ દસ મહાવિદ્યા કહેવામાં આવે છે.

શિવના ઇનકાર પછી પણ દેવી સતી યજ્ઞમાં ભાગ લેવા તેના પિતા દક્ષના ઘરે પહોંચ્યા હતાં. પ્રજાપતિ દક્ષ યજ્ઞમાં સતીની સામે ભગવાન શિવનું અપમાન કરવા લાગ્યા. દેવી સતી આ સહન ન કરી શક્યાં અને યજ્ઞકુંડમાં કૂદીને પોતાના શરીરનું બલિદાન આપી દીધું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow