સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલ પેપરલીકના 35 દિવસ બાદ હજુ કોઈ પણ કાર્યવાહી કે ફરિયાદ ન થતા આજે યુથ કોંગ્રેસ અને NSUI ડેલિગેશન દ્વારા કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લેખિત ફરિયાદ કરવાની માગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદ ન કરી શકતા સત્તાધિશોને બંગડી પહેરવા આપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. જો કે આવતીકાલે પોલીસ ફરિયાદ કરવાની યુનિવર્સિટી દ્વારા લેખિત બાહેંધરી આપવામાં આવી છે.


કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધીશોને અમે આજે પેપરલીક મામલે ઉગ્ર રજુઆત કરી છે. 35 દિવસ બાદ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. માટે આજે અમારી એક સ્પષ્ટ માગણી હતી કે, કોઈ પણ સંજોગોમાં યુનિવર્સિટી આ મામલે ફરિયાદ દાખલ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે. જો કોઈ સત્તાધિશો ફરિયાદ કરતા અચકાતા હોય, કોઈને ડર લાગતો હોય તો તેઓ બંગડી પહેરી લે તેવું કહી બંગડીઓ અર્પણ કરી વિરોધ નોંધાવ્યો છે. જો કે, એક કલાકની ઉગ્ર રજુઆત બાદ આવતીકાલે ફરિયાદ કરવામાં આવશે તેવી લેખિત બાહેંધરી કુલપતિ અને સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે.

રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી સંસ્થાના પેપરલીક જેવી ગંભીર ઘટનામાં 35 દિવસ વીત્યા પછી કોઈ કાર્યવાહી ન થાય તો સ્વાભાવિક વિપક્ષ તરીકે વિદ્યાર્થી હિત અર્થે ઘટતું કાંઈ પણ કરવાનું જ હોય. અગાઉ કુલપતિ તેમજ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજુઆત કરી હતી. પરંતુ પોલીસ કમિશનરે પ્રત્યુત્તર આપતા ખૂબ સ્પષ્ટ કહ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધિશો ફરિયાદ દાખલ કરવા માગતા હોય તો પોલીસ ફરિયાદ પહેલા લેવા પણ તૈયાર હતી અને અત્યારે પણ તૈયાર જ છે. કોઈ ફરિયાદી જ ના બને તો પોલીસ કઈ રીતે ફરિયાદ દાખલ કરે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow