કૂતરાની લાળથી મહિલાની કિડનીમાં ગાંઠ

કૂતરાની લાળથી મહિલાની કિડનીમાં ગાંઠ

પશુપાલક ખાસ કરીને કૂતરાને પાળનારા માટે આંખો ઉઘાડનારો કિસ્સો નડિયાદમાં જોવા મળ્યો છે. અહીં એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં એક એવી મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું જેને કૂતરાની લાળ (માઈક્રો ઈયલો) ને કારણે કિડનીમાં ગાંઠ થઈ હતી. ગાંઠના કારણે મહિલાની કિડનીની સાઈઝ સામાન્ય કિડની કરતા બમણી થઈ હતી, અને સતત યુરીનમાં લોહી આવવાની સમસ્યા શરૂ થઈ હતી. નિદાનમાં એક કરોડમાં એક વ્યક્તિને થતી હાયડેટીડ ડીસીઝ ઓફ કિડની નામની ગંભીર બિમારી અંગે જાણ થઈ હતી, જેથી તત્કાલ તેનું ઓપરેશન કરી કિડની માંથી 12 બાય 8.5 ની સાઈઝની ગાંઠ દૂર કરવામાં આવી છે.

કૂતરાને પાળનારા માટે આંખો ઉઘાડનારો કિસ્સો
મહત્વની વાત તો એ છે કે હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું.નડિયાદના પીપળાતા ગામે રહેતી 55 વર્ષીય જીવદયા પ્રેમી મહિલા ફળીયાના કુતરાઓને દૂધ પીવડાવા જતી સાથે તેમની માવજત કરતી હતી. જે દરમિયાન મહિલાના પેટમાં લારવા પહોંચવાના શરૂ થયા હતા. બિમારીને કારણે મહિલાને સતત 7 દિવસ સુધી યુરીનમાં લોહી નીકળતા એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

4 ડોક્ટરની ટીમે જોખમ લઈ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો
​​​​​​​જ્યાં મહિલાનો જીવ બચાવવા 4 ડોક્ટરની ટીમે જોખમ લઈ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. અને બુધવારના રોજ સતત 5 કલાક સુધી ચાલેલા ઓપરેશનને અંતે મહિલાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ જટીલ ઓપરેશનમાં ડો.પૂકુર થેકડી -મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, એન.ડી.દેસાઈ હોસ્પિટલ,ડો.હર્ષ પટેલ, આસી. પ્રોફેસર,,ડો.અલ્પેશ પરમાર, 4. ડો.પાર્થ પટેલની ટીમે પૂરું પાડ્યું હતું.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow