કંપની કર્મચારીઓને હેલ્થ પોલિસી આપે તેમ છતાં કેમ જરૂરી છે પર્સનલ વીમો? ખાસ ધ્યાનમાં રાખો આ વાતો, નહીં આવે પસ્તાવવાનો વારો

કંપની કર્મચારીઓને હેલ્થ પોલિસી આપે તેમ છતાં કેમ જરૂરી છે પર્સનલ વીમો? ખાસ ધ્યાનમાં રાખો આ વાતો, નહીં આવે પસ્તાવવાનો વારો

Covid Period પછી હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન્સનું મહત્વ સમગ્ર દેશમાં અનેકગણું વધી ગયું છે. ત્યારથી જ હેલ્થ ઈન્શ્યોરન્સ વિશે લોકોમાં ઝડપથી જાગૃતિ જોવા મળી છે. કારણ કે હોસ્પિટલમાં એકવાર દાખલ થવા પર લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.

જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને ત્યાં તમે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સના ભરોસે બીજુ કોઈ ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ કવર લીધું નથી. તો તમારે આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લેવો જ જોઈએ. કારણ કે તમે તમારી કંપની છોડો છો અથવા નિવૃત્ત થશો ત્યારે તમને તમારા કવરમાંથી બહાર કરી દેવામાં આવશે.

નોકરી છુટી જાય તો તમારી પાસે હોવો જોઈએ હેલ્થ કવર
જો તમારી સાથે એવી સ્થિતિ ઊભી થાય કે તમારી પાસે નોકરી ન રહે તો તમારી પાસે પર્સનલ કવર હોવું જ જોઈએ. પર્સનલ કવર લેતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે પણ તમે હેલ્થ કવર લો છો, ત્યારે તમારા સ્વાસ્થ્ય સંબંધિત સાચી માહિતી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આલ્કોહોલ કે સિગારેટ પીઓ છો તો આ માહિતી પણ આપો. જેથી આગળ જતા તમને ક્લેમ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે.

લોક-ઈન પીરિયડ
જ્યારે પણ તમે વીમા કવર લો છો ત્યારે અમુક સમયનો લોક-ઇન પીરિયડ પોલિસીમાં હોય છે. એટલા માટે કવર લીધા પછી તરત જ તમને લાભ મળતો નથી. એટલા માટે તમારે અગાઉથી ઈન્ડિવિઝુઅલ કવર પહેલાથી લઈને રાખવું જોઈએ. જેથી જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે તે પોલિસીનો સરળતાથી લાભ લઈ શકો.

આયુર્વેદિક સારવાર માટે લો આવું કવર
જો તમે દવાઓને બદલે આયુર્વેદિક સારવાર કરવા માંગો છો, તો તમે તમારી પોલિસી લેતી વખતે આયુષ કવર લઈ શકો છો. કારણ કે કેટલીક વીમા કંપનીઓ વીમો આપતી વખતે તેમના વીમામાં આયુષ સિસ્ટમનો પણ સમાવેશ કરે છે. આ માટે કેટલીક સબ-લિમિટ પણ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારે એવી યોજના લેવી જોઈએ, જેમાં આયુષ સારવાર માટે વધુ મર્યાદા આપવામાં આવતી હોય.

એડ ઓન રાઈડર્સની સુવિધા
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેતી વખતે, કેટલીક કંપનીઓ તમને કેટલાક એડ ઓન રાઇડર્સની સુવિધા પણ આપે છે, જેને તમે થોડું વધારે પ્રીમિયમ ચૂકવીને ખરીદી શકો છો. તમે કોઈપણ ગંભીર બીમારી સમયે આવા એડ ઓનનો લાભ લઈ શકો છો.

કારણ કે તે તમને એક વધારાનું પ્રોટેક્શન લેયર આપે છે. ઘણી પોલિસીમાં રૂમ અને આઈસીયુને લઈને કેટલાક નિયમો હોઈ શકે છે. આ કિસ્સામાં તમે એડ ઓન રાઇડરમાં આ સુવિધા ઉમેરી શકો છો. કારણ કે તમને આ રાઇડર્સમાં ઘણા વધારાના ફાયદા મળે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow