વડોદરાના ડભોઇ કરનાળી નર્મદા નદીમાં સ્નાન કરવા ગયે બે યુવકો ડૂબ્યા

વડોદરાના ડભોઇ કરનાળી નર્મદા નદીમાં સ્નાન કરવા ગયે બે યુવકો ડૂબ્યા

વડોદરાના ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે નર્મદા સ્નાન અર્થે આવેલા પાંચ મિત્રો પૈકીના બે આશાસ્પદ યુવાનોનું નર્મદા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ ગણતરીના સમયમાં બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક ચાંદોદ પોલીસ દોડી આવી હતી. પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.

મિત્રો સાથે સ્નાન કરતા કરતા ડૂબ્યા

આજે શ્રાવણ માસનો અંતિમ દિન અમાસની તિથિને અનુલક્ષી ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાંદોદ-કરનાળીના નર્મદા કિનારે પુણ્ય સ્નાન અને વિધિવિધાન અર્થે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શ્રાવણ વદ અમાસના મહાત્મ્ય અને અનુલક્ષી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના પાંચ થી છ મિત્રો પણ નર્મદા સ્નાન અર્થે કરનાળી ખાતે સોમનાથ ઘાટ નજીકના કિનારે આવી પહોંચ્યા હતા. મોડી સાંજે તમામ મિત્રો નદી કિનારે સ્નાન માટે પહોંચ્યા હતા. પરંતુ સ્નાન કરતા સમયે નદીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન રહેતા અન્ય મિત્રો પૈકીના બે મિત્રો પાણીના પ્રવાહમાં તણાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow