બે ગદર્ભના વાહન ઠોકરે મોત

બે ગદર્ભના વાહન ઠોકરે મોત

જસદણ-આટકોટ ફોરલેન રોડ પર આવેલી સોલીટેર સોસાયટી નજીક સવારના સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરી રહેલા બે ગદર્ભને અડફેટે લેતા બન્ને ગદર્ભ ફૂટબોલની માફક રોડ પર ફંગોળાઈ ગયા હતા અને બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જો કે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી જતા જીવદયા પ્રેમીઓમાં અને આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે બેઘડી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

જોકે રોડની વચ્ચે પડેલા બન્ને મૃત ગદર્ભને અમુક કલાકો બાદ રોડ પરથી ખસેડી દેવામાં આવતા વાહનવ્યવહાર રાબેતા મુજબ થવા લાગ્યો હતો. આ તકે જીવદયા પ્રેમીઓએ આ બન્નેને મોતને ઘાટ ઉતારનારા અજાણ્યા વાહનચાલકને પકડી પાડી જસદણ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow