ખાદ્યતેલમાં ભાવ ઘટતા વેપાર 70% ઘટ્યો

ખાદ્યતેલમાં ભાવ ઘટતા વેપાર 70% ઘટ્યો

ખાદ્યતેલમાં સતત ઘટાડો આવ્યો છે જેને કારણે વેપારમાં 70 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત પહેલા સંગ્રહખોરો સ્ટોક કરીને રાખતા હતા તેના બદલે હવે જરૂર પૂરતા જ સોદા કરવામાં આવે છે. આમ, વેપાર માટે જે કાંઈ ગણિત મંડાયા હતા કે આયોજનો થયા હતા તે બદલાઇ ગયા છે. હજુ ખાદ્યતેલમાં ઘટાડો આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.

આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ સીંગતેલમાં પરિસ્થિતિ ખરાબ છે. હાલમાં ડિમાન્ડ ઘટી છે. જરૂર પૂરતી જ ખરીદી અને વેચાણ થતા હવે વેપારમાં ઘટાડો આવી રહ્યો છે. નોંધનીય છે કે, સિઝનની શરૂઆતમાં ખાદ્યતેલના રેકોર્ડબ્રેક ભાવ હતા. આ સમયે ડબ્બાએ રૂ. 3 હજારની સપાટી કુદાવી હતી. જે સિઝનનો સૌથી રેકોર્ડબ્રેક ભાવ હતો. ત્યારબાદ અત્યારે સીંગતેલનો ડબ્બો રૂ. 2850એ પહોંચ્યો છે. વેપારીઓના જણાવ્યાનુસાર તેલમાં રૂ. 500 થી 1000 સુધીનો ઘટાડો આવ્યો છે. જો કે લગ્નસિઝન હવે શરૂ થઈ રહી છે જેને કારણે ખરીદી વધે તેવી આશા સેવાઇ રહી છે.

વેપારીઓના જણાવ્યાનુસાર ભાવ ઘટાડા માટે વૈશ્વિક અને સ્થાનિક બન્ને પરિબળો કામ કરી રહ્યા છે. સીંગદાણામાં સારી ડિમાન્ડ હોવાને કારણે તેમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઇ રહ્યા છે. સીંગદાણાનો ભાવ અત્યારે રૂ. 1940 સુધી બોલાઇ રહ્યો છે. હાલ યાર્ડમાં મગફળીમાં દૈનિક આવક 1800 ક્વિન્ટલની છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow