કૉલિંગ માટે સરકાર લાવી રહી છે જોરદાર સર્વિસ, Truecaller જેવી App ની નહીં પડે જરૂર; જાણો શું

કૉલિંગ માટે સરકાર લાવી રહી છે જોરદાર સર્વિસ, Truecaller જેવી App ની નહીં પડે જરૂર; જાણો શું

એક રિપોર્ટ અનુસાર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) જલ્દી જ એક એવો ઉપાય રજૂ કરશે જેમાં કોલ કરતાં સમયે ફોન રિસીવરના ફોનની સ્ક્રીન પર કોલ કરનારનું નામ ફ્લેશ થઈ જશે. જણાવી દઈએ કે ફાઈનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જે નામ ફ્લેશ થશે તે ટેલિકોમ ઓપરેટર્સ પાસે ઉપલબ્ધ યુઝર્સ તમારા ગ્રાહકને જાણો (KYC) રેકોર્ડ મુજબ હશે.

ફેક કોલ્સ ઘટશે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ પહેલથી વસ્તીના મોટા વર્ગને મોટી રાહત મળશે. આપણે બધાએ ફેક કોલ્સને કારણે લોકો સાથે થતાં મજાક અથવા ખરાબ વર્તન અને છેતરપિંડી અને એ કોલને કારણે પૈસા ગુમાવવાના કિસ્સાઓ સાંભળ્યા છે. ભલે ટ્રાઈનું આ પગલું તમામ ફોન સ્કેમ્સને દૂર નહીં કરે પણ લોકો સાથે આવી ઘટનાઓને મર્યાદિત કરશે.

એકવાર આ પગલું અમલમાં આવી ગયા પછી રીસીવર ટેલિકોમ ઓપરેટરને સબમિટ કરેલા KYC રેકોર્ડ્સ મુજબ કોલ કરનારનું નામ જોઈ શકશે પછી ભલે કોલરનું નામ તેના ફોનમાં સેવ ન હોય

આ પહેલા Truecaller આપતું હતું ડેટા
અત્યાર સુધી Truecaller જેવી એપ્લીકેશનો કોલરની ઓળખ આપતી હતી પણ Truecaller દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા ક્રાઉડસોર્સિંગ પર આધારિત હોવાથી ડેટાની પ્રામાણિકતા જાળવી શકતું નહતું. આ સાથે જ Truecallerમાં લોકો પાસે ડાયરેક્ટરીમાંથી તેમના નંબરોને ડિલિંક કરવાનો વિકલ્પ પણ છે. એટલા માટે આવી એપ પર સંપૂર્ણ વિશ્વાસ કે ચકાસણી કરી શકાતી નથી. જો કે હાલ ટ્રાઈની પહેલથી આ અવરોધ દૂર થવાની અપેક્ષા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક જૂથોએ ટ્રાઈના આ વિચારનો વિરોધ કરતા કહ્યું હતું કે તે ગોપનીયતાનું ઉલ્લંઘન હશે પણ ટ્રાઈએ આવા વિરોધને ફગાવી દીધા છે. FE રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘણા વિચાર પછી TRAI તેની ભલામણો ટેલિકોમ વિભાગને આપશે અને પછી તેઓ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow