રાજકોટમાં સિટી બસના ઓવરટેકની લ્હાયમાં સામે આવતા બુલેટને જોરદાર ટક્કર મારી

રાજકોટમાં સિટી બસના ઓવરટેકની લ્હાયમાં સામે આવતા બુલેટને જોરદાર ટક્કર મારી

રાજકોટમાં વધુ એક વખત સિટીબસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના આનંદ બંગલા ચોક નજીક પૂરપાટ ઝડપે જતી સિટી બસે રિક્ષાને ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બુલેટ ચાલક ફૂટબોલની જેમ ફંગોળાઇને રોડ પર પટાકાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે, બસની ટક્કરથી બુલેટચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને 7 ફૂટ દૂર રોડ પર પકટાઇ છે.

રાજકોટમાં વારંવાર કોઈને કોઈ વિવાદોના ઘેરામાં સપડાયેલી રહેતી સિટી બસ સેવા ફરી એક વખત વિવાદમાં આવી છે. ફરી એક વખત સિટી બસ ચાલકની બેદરકારીના કારણે વાહન ચાલકને ઇજા પહોંચી છે. શહેરના આનંદ બંગલા ચોક નજીક ગઈકાલે બપોર પછી 3.47 વાગ્યા આસપાસ નવી શરૂ થયેલી ઇલેક્ટ્રિક સિટી બસ ઝડપથી રિક્ષાને ઓવરટેક કરવામાં બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. બાદમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ગઈકાલે બપોરના 3.47 વાગ્યા આસપાસ આનંદ બંગલા ચોક નજીક સામાન્ય રીતે વાહનોની અવરજવર ચાલુ છે. આ દરમિયાન ત્યાંથી નવી શરૂ થયેલ ઇલેક્ટ્રિક સિટી બસ એક રિક્ષાને ઝડપથી ઓવરટેક કરવા જાય છે. પરંતુ આ દરમિયાન ઓવરટેક ન થતા એક સામાન્ય બુલેટચાલકને અડફેટે લીધો હતો. જેને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુલેટચાલકને ખાનગી હોસ્પિટલમાં 108 મારફત ખસેડવામાં આવ્યો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow