રાજકોટ રૈયા ગામે ભેદી સંજોગોમાં યુવકની લાશ મળી

રાજકોટ રૈયા ગામે ભેદી સંજોગોમાં યુવકની લાશ મળી

રાજકોટના રૈયા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા દિનેશભાઈ મૂળજીભાઈ વાળા નામના 40 વર્ષીય યુવાનના ભગવતીપરામાં રહેતા સસરા ભાણજીભાઈનું અવસાન થયું હતું અને જેથી પત્ની જમુનાબેન અને બંને દીકરીઓ પખવાડિયાથી ત્યાં ગયા હતા અને પોતે ઘરે એકલા હતા. ગઈકાલે પાડોશીઓને દુર્ગંધ આવતા દિનેશના ભાઈને જાણ કરી હતી અને દિનેશના નાનાભાઈ હસમુખે ઘરે દરવાજો તોડી જોતા અંદર ભાઈ દિનેશનો મૃતદેહ પડ્યો હતો. તેમજ લાકડાની આડીમાં સાડી બાંધેલી હાલતમાં હતી અને તેની નીચે ખુરશી પડેલી હતી તેમજ ત્યાં નજીકમાં જ દિનેશનો મૃતદેહ પડ્યો હતો. તેમના ભાઈ હસમુખે જણાવ્યું કે મોટાભાઈ દિનેશને નશો કરવાની ટેવ છે તેમજ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીનેસે નશાની હાલતમાં ફાંસો ખાધો હશે અને બાદમાં નીચે પડી જતા શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયાનું પોલીસે અનુમાન કર્યું હતું. બનાવનું સાચું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow