સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા તથા પ્રોત્સાહિત કરવા સરકાર 10 કરોડ સુધીની લોનની ગેરંટી આપશે

સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા તથા પ્રોત્સાહિત કરવા સરકાર 10 કરોડ સુધીની લોનની ગેરંટી આપશે

દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય માટે સરકાર અનેકવિધ પહેલ કરી રહી છે ત્યારે હવે સરકારે નવી સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ અંતર્ગત સ્ટાર્ટઅપ કંપનીઓને કોઇપણ પ્રકારની ગેરંટી વગર 10 કરોડ રૂપિયાની લોન મળશે. લોનની ગેરંટી સરકાર પોતે જ આપશે.

આ માટે સરકારે સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સને મંજૂરી આપી છે. Department for Promotion of Industry and Internal Trade (DPIIT)એ આ સંદર્ભે એક નોટિફિકેશન પણ જારી કર્યું છે. આ સ્કીમ અંતર્ગત પાત્રતા ધરાવતા સ્ટાર્ટઅપ્સને લોન મળી શકશે.

આ સ્કીમના સંચાલન ઉપરાંત DPIIT એક મેનેજમેન્ટ સમિતિ તેમજ રિસ્ક ઇવેલ્યુએશન સમિતિની પણ રચના કરશે. આ સમિતિઓ સ્કીમની સમયાંતરે સમીક્ષા તેમજ દેખરેખ કરશે. નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) આ સ્કીમનું સંચાલન કરશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ્યથી સરકાર સહાયતા ઉપલબ્ધ કરાવવા તેમજ ઇન્સેન્ટિવ આપવા માટે વડાપ્રધાન મોદીએ 16 જાન્યુઆરી, 2016ના રોજ દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. તેના જ અંતર્ગત ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ રજૂ કરાઇ હતી. તેનો ઉદ્દેશ્ય દેશમાં અનેકવિધ સેક્ટર્સમાં ઉદ્યોગસાહસિકતાના પ્રોત્સાહન આપવાનો હતો. દેશમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow