સાંકળથી બંધાયેલી સંગીતા પાંચ વર્ષે મુક્ત કરાવાઇ

સાંકળથી બંધાયેલી સંગીતા પાંચ વર્ષે મુક્ત કરાવાઇ

દાહોદ નજીક બાવકા ગામની સંગીતા બામણિયા ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 68 ટકા લાવે છે. તેની નર્સિંગ કરવાની ઇચ્છા હતી. ફોર્મ જમા કરાવવાના આગલા દિવસે જ તેનું મગજ અસ્થિર થઇ ગયુ. દિવસે-દિવસે પરિસ્થિતિ બગડતાં અંતે પિતાએ પાંચ વર્ષ પહેલાં તેને ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી દીધી. સ્થાનિક સંસ્થાના પ્રયાસોથી ગુરુવારના રોજ તેના પગે બાંધેલી જંજીરો કપાઇ હતી. પિતાએ ભારે હૈયે હવે મારી સંગીતાના જીવનમાં ઉજાશ આવશે તેમ જણાવી ભૂતકાળથી વર્તમાન સુધીની વાતો વાગોળી હતી.

વાત 15 વર્ષ પહેલાંની છે, સંગી(હુલામણું નામ) ભણવામાં હોશિયાર હતી. ધોરણ 10 પછી તેણે વિજ્ઞાન લીધુ.12મામાં તેના 68 ટકા આવ્યા હતાં. કુંટુબી દીકરી નર્સિંગ કરતી હતી જેથી તેને પણ તેની ઇચ્છા થઇ. ફોર્મ ભરવાનું હતુ, મે ઘણી દોડધામ કરી ડોક્યુમેન્ટ ભેગા કર્યા. ફોર્મ ભરાવ્યુ.

ફોર્મ જમા કરાવવા જવાનું હતુ તેની આગલી સાંજે ખેતરેથી આવ્યા બાદ સંગીનું વર્તન બદલાઇ ગયુ હતું. તે ગાંડી થઇ ગઇ હતી. દવાખાને બતાવી, ભૂવા-બડવા પાસે લઇ જવાઇ. આ વર્ષો દરમિયાન તે બે વખત સાજી થઇ હતી. એક વખત ફેર પડતાં તે એક વર્ષ સાજી રહી હતી.

ત્યારે અમે તેના લગ્નનું પણ વિચાર્યુ હતુ પણ પાછી એવી જ થઇ ગઇ હતી. બીજી વખત તે ચાર મહિના સાજી રહી હતી. પાંચ વર્ષ પહેલાં તેની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. તે લોકોને પથ્થર મારતી હતી, કપડા કાઢીને ગામમાં નીકળી જતી હતી. લોકોના ઠપકા આવતા હતા.જેથી મેં તેને ઢાળિયામાં સાંકળ સાથે બાંધી દીધી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow