રાજકોટથી ગોવાની ફ્લાઈટ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે

રાજકોટથી ગોવાની ફ્લાઈટ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે

રાજકોટથી ગોવા જવા માટે ઈન્ડિગોએ નવી ફ્લાઈટ શરૂ કરી છે. 28 માર્ચથી શરૂ થયેલી આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઉડાન ભરશે. રાજકોટથી ગોવાની અગાઉ ફ્લાઈટ ચાલી રહી હતી પરંતુ તે બંધ કરી દેવામાં આવી હતી જે હવે વેકેશન દરમિયાન જ શરૂ કરવામાં આવતા ફરવા જવાનું આયોજન કરતા સહેલાણીઓને ફાયદો થશે. વેકેશનમાં ગોવા ફરવા જવા યાત્રિકોને સપ્તાહમાં ત્રણ દિવસ ફ્લાઈટ મળશે. ગોવાની ફ્લાઈટ સવારે 11.10 વાગ્યે ગોવાથી ટેકઓફ થઈ બપોરે 12.45 વાગ્યે રાજકોટ લેન્ડ થશે અને બપોરે 1.15 વાગ્યે રાજકોટથી પરત ગોવા જવા ટેકઓફ થઈ 2.50 વાગ્યે ગોવા લેન્ડ થશે.

આ ફ્લાઈટના એડવાન્સ બુકિંગ માટે વિન્ડો પણ શરૂ કરવામાં આવી છે. ઉનાળુ વેકેશનમાં ગોવા જવા ઈચ્છુક સૌરાષ્ટ્રવાસીઓને ગોવાની સીધી હવાઈ સેવા ઉપયોગી નિવડશે. રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ પણ બંધ થતા રાજકોટના સાંસદે ઉડ્ડયન મંત્રીને લેખિત રજૂઆત કરી વૈકલ્પિક ફ્લાઈટ શરૂ કરવા માગણી કરી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow