રાજકોટ ચિકનગુનિયાના સપ્તાહમાં જ 8 નવા દર્દી, ડેન્ગ્યુના 9

રાજકોટ ચિકનગુનિયાના સપ્તાહમાં જ 8 નવા દર્દી, ડેન્ગ્યુના 9

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. બે સપ્તાહ પહેલા ચિકનગુનિયાના આંકમાં અસામાન્ય વધારો દેખાયો હતો જે બાદમાં હળવો પડ્યો પણ ફરી આ રોગના દર્દીઓમાં વધારો નોંધાયો છે. જેથી એ સાબિત થાય છે કે મનપા ચોપડે રોગચાળો કાબૂમાં રાખવા ઘણી કામગીરી કરે છે પણ હકીકતે શહેરમાં રોગચાળો ખૂબ વકરી ચૂક્યો છે.

મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર તા.23થી 29 સુધીમાં જ ડેન્ગ્યુના 9 જ્યારે ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક કેસ મલેરિયાનો પણ જોવા મળ્યો છે. આ તો ફક્ત એલાઈઝા ટેસ્ટ મારફત નોંધાયેલા કેસ છે. શહેરની અનેક ક્લિનિક અને જનરલ પ્રેક્ટિશનર રેપિડ કાર્ડ ટેસ્ટ મારફત રોગનું નિદાન કરીને સારવાર કરી રહ્યા છે.

આવા કોઇ કેસ આવે એટલે જે તે વિસ્તારમાંથી મનપાને જાણ કરાય છે. તંત્ર ત્યાં કામગીરી કરવા જાય છે પણ ક્યાંય નોંધ કરાતી નથી જેથી ખરેખર શહેરમાં રોગચાળો કેટલો ફેલાયો છે તે હકીકત લોકો સુધી પહોંચી શકતી નથી.

મચ્છરજન્ય રોગ ઉપરાંત રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુને કારણે શરદી-ઉધરસના કેસ પણ વધ્યા છે. માત્ર આરોગ્ય કેન્દ્રોમાં જ એક સપ્તાહમાં 822 કેસ નોંધાયા છે. આ સિવાય સામાન્ય તાવના 54 તેમજ ઝાડા-ઊલટીના 180 કેસ છે તે રીતે જોતા સમગ્ર શહેરમાં અનેકગણા વાઇરલ શરદી-ઉધરસના કેસ છે તેવો અંદાજ લગાવી શકાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow