રાજકોટ એસટી બસ સિવિલ પાસેના બ્રિજ નીચેથી ચાલશે

રાજકોટ એસટી બસ સિવિલ પાસેના બ્રિજ નીચેથી ચાલશે

સિવિલ હોસ્પિટલ ખાતે બનતા બ્રિજના કામને કારણે છેલ્લા કેટલાક સમયથી એસટી બસ ફરી ફરીને ચાલતી હતી. હવે આ બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટથી અમદાવાદ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી ગયું છે. તેમજ જે વધારાનું રૂ.2 ભાડું લગાવવામાં આવ્યું હતું તે હવે રદ કરવામાં આવશે. આ સિવાય જામનગર જતી બસ પણ બ્રિજ નીચેથી મળી જશે. વળતા આ બન્ને રૂટના મુસાફરોને જ્યુબિલી ચોક ખાતે ઉતરવાનું રહેશે. તેમ એસટી વિભાગીય નિયામક વડા જે.બી. કલોતરાએ જણાવ્યું છે.

વધુમાં તેને માહિતી આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પૂરી થતા હવે રાજકોટ બસપોર્ટથી અમદાવાદ તરફ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી જાશે. તેમજ હવે રાજકોટથી અમદાવાદ જતી બસના મુસાફરોને બ્રિજ નીચે ઊભા રહેવાનું રહેશે તથા અમદાવાદથી રાજકોટ તરફ આવતા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ થઈને સંચાલન કરવાનું રહેશે. રાજકોટથી જામનગર તરફ જતા હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ નીચે ઊભેલા મુસાફરોને લેવાના રહેશે. તથા જામનગરથી રાજકોટ તરફ આવતા મુસાફરોને જ્યુબિલી ચોક પાસે ઉતારવાના રહેશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow