પશુઓને વાહનોમાં ભરીને લઇ જવાથી સુપર બગનો ખતરો

પશુઓને વાહનોમાં ભરીને લઇ જવાથી સુપર બગનો ખતરો

પશુઓને વાહનોમાં ઠાંસી ઠાંસીને ભરીને લઈ જવાથી સંક્રમણનો ખતરો સર્જાયો છે. યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી પ્રમાણે, જાનવરોના ટ્રાન્સપોર્ટેશન વખતે તેમનામાં એન્ટિ માઇક્રોબિયલ રેઝિસ્ટન્સનો ખતરો વધી જાય છે, જેનાથી કોઈ પ્રકારનું સંક્રમણ થતાં તેમના પર એન્ટિ બેક્ટેરિયલ દવાઓની અસર નથી થતી. પશુઓ પર કોઈ સારવાર કામ ના કરે તેવા સંક્રમણના કારણે સુપર બગ ઇન્ફેક્શન શરૂ થાય છે.

યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીને જાનવરોને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જતી વખતે એન્ટિ માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના ખતરાની તપાસમાં માલુમ પડ્યું છે કે, ટ્રાન્સપોર્ટેશન વખતે જાનવરો વચ્ચે વધુ બેક્ટેરિયાની અદલાબદલી થાય છે. તેથી બેક્ટેરિયાને અનેકગણા વધી જવાની તક મળે છે.

અનેક દેશોમાં દૂધાળા ઢોરના ટ્રાવેલમાં બ્રેક ટાઇમ જરૂરી
અનેક દેશોમાં દૂધાળા ઢોરના પરિવહનમાં બ્રેક ટાઇમ અનિવાર્ય કરાયો છે. બ્રિટનમાં પશુઓને આઠ કલાકથી વધુ ટ્રાવેલ ના કરાવી શકાય. આ સમય કેનેડામાં 12 કલાક અને અમેરિકામાં 16 કલાક છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, બ્રેક ટાઇમથી સંક્રમણનો ખતરો ઘણે અંશે ઘટાડી શકાય છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow