ઉનામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, હથિયારો કબજે

ઉનામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, હથિયારો કબજે

ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ તંગદિલી જોવા મળી હતી અને શનિવારે રાત્રે કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવની ગંભીરતાને લઈ ગીર-સોમનાથ એસપી શ્રીપાલ શેષ્મા, જૂનાગઢ એસપી રવિ તેજા, જિલ્લા, તાલુકાની પોલીસ પહોંચી ગઈ હતી અને બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ભડકાઉ ભાષણ બાદ તંગદિલી જોવા મળી
તેમજ આખી રાત કોમ્બિંગ કરી 76 શખ્સની અટક કરાઈ હતી અને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ દરમિયાન 100થી વધુ ઘાતક હથિયારો, 100 સોડાબોટલ મળી હતી, અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાઈ હતી અને બીજીતરફ 76થી વધુ શખ્સ સામે રાયોટિંગ હેઠળ ગુનો નોંધાયો હતો.

ઉનામાં બે દિવસથી વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે અને પોલીસ સબસલામતના દાવા કરી રહી છે. શહેરીજનોમાં પણ ડરનો માહોલ છે ત્યારે શાંતિ ક્યારે સ્થપાશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઉપરાંત દુકાનો પણ વેપારીઓએ ખોલી ન હતી. બપોરે વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ મથકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow