નવી દુલ્હનના ગૃહપ્રવેશ વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તમારૂ ઘર

નવી દુલ્હનના ગૃહપ્રવેશ વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તમારૂ ઘર

હિંદૂ ધર્મના બધા 16 સંસ્કરોમાં એક છે વિવાહ સંસ્કાર. ત્યાં જ ચાર મહત્વપૂર્ણ સંસ્કારોમાંથી એક છે વિવાહ. હિંદૂ ધર્મમાં થતા વિવાહમાં ઘણા રીતિ-રિવાજ હોય છે. અમુક નિયમ લગ્ન પહેલા અને અમુક લગ્ન બાદ પણ થાય છે.

દુલ્હન જ્યારે વિદાય બાદ પહેલી વખત પોતાના સાસરે પહોંચે છે તો તેનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે હિંદૂ ધર્મમાં ઘરની વહુને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે સંપૂર્ણ-વિધિ વિધાનથી નવી દુલ્હનનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે.

ગૃહ પ્રવેશ વખતે ધ્યાનમાં રાખો ખાસ વસ્તુઓ
નવી દુલ્હનના ઘર પર ગૃહ પ્રવેશ કરતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ખોટી વિધિ અથવા અશુભ મુહૂર્તમાં નવવધુનો ગૃહ પ્રવેશ કરશો તો તેનાથી ઘર પર કલેશની સ્થિતિ પેદા થઈ શકે છે. સાથે જ આવા ઘર પર લક્ષ્મીજી પણ સ્થાઈ રૂપથી ટકતી નથી.

યોગ્ય  મુહૂર્તમાં કરો ગૃહપ્રવેશ
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ અને વ્રત-તહેવારોની તમામ વિધિઓમાં મુહૂર્તનું વિશેષ મહત્વ છે. નવી વહુનું ગૃહ પ્રવેશ પણ શુભ માનવામાં આવે છે. એટલા માટે તેને શુભ મુહૂર્તમાં જ કરો. નવી વહુનો ગૃહ પ્રવેશ રાત્રે કરવો શુભ માનવામાં આવે છે.

આ માટે ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ અને રોહિણી જેવા સ્થિર સંજ્ઞક નક્ષત્રો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તમે કોઈ પુજારી અથવા જ્યોતિષ દ્વારા કહેવામાં આવેલા શુભ મુહૂર્તમાં નવવિવાહિત યુગલના ઘરમાં પણ પ્રવેશ કરી શકો છો.

કળશ ચાવલ વિધિનું મહત્વ
નવી વહુના ઘરમાં પ્રવેશ કરતી વખતે મોટાભાગના હિંદુ પરિવારોમાં કળશ ચાવલ વિધિના નિયમોનું પાલન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે નવવધૂ પોતાના જમણા પગથી કલશમાં ભરેલા ચોખાને ઘરની અંદર નાખે છે. ત્યારે તે ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સૌભાગ્ય લાવે છે.

કન્યાના પગના નિશાન
નવી કન્યા ગૃહપ્રવેશના સમયે લાલ કંકુથી ભરેલી થાળીમાં પગ મૂકે છે અને આ રીતે તે શુભ રંગ લાલથી પગના નિશાનની સાથે ઘરના દ્વારથી ઘરના મંદિર સુધી જાય છે. તે રસમને ઘર પર સુખ-સમૃદ્ધિ લાવવા માટે દેવી લક્ષ્મીને પ્રવેશનું સુચક માનવામાં આવે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow