નિખિલ દોંગા ગેંગ કાયદાના સાણસામાં

નિખિલ દોંગા ગેંગ કાયદાના સાણસામાં

ગોંડલની નિખીલ દોંગા ગેંગને વધુ એક ફટકો પડ્યો છે. ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલ 10 આરોપીની ડીફોલ્ટ જામીનની અરજી રદ કરવામાં આવી છે. દોંગા ગેંગના સહઆરોપીઓ પાર્થ જોષી, અક્ષય દુધરેજીયા, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, નવઘણ શીયાળ, પિયુષ કોટડીયા, વિજય જાદવ, દર્શન ઉર્ફે ગોલુ, વિશાલ પાટકર અને દેવાંગ જોષીએ જામીન અરજી કરી હતી. આ કેસના સ્પે.પીપી એસ.કે. વોરાએ કરેલી તર્ક બધ્ધ દલીલોને ધ્યાને લઈ આ જામીન અરજી રાજકોટની ખાસ ગુજસીટોક અદાલતે ગુણદોષ રહીત હોવાનું ઠરાવી રદ કરી છે.

ગોંડલના નિખીલ દોંગા અને તેના સાગરીતો વિરૂધ્ધ બે વર્ષ પહેલા નોંધાયેલ ગુજસીટોક કાયદા હેઠળના ગુન્હામા 14 આરોપીઓ જુદી જુદી જેલોમા કેદી તરીકે સજા કાપી રહ્યા છે. આ કેસમા તમામ આરોપીઓ વિરૂધ્ધ ખાસ અદાલતે તહોમતનામુ ફરમાવી દીધેલ છે અને નિખીલ દોંગા સામેનો આ કેસ સરકારી સાહેદોના મૌખિક પુરાવા ઉપર ચાલી રહેલ છે. આ સમયે 14 આરોપીઓએ ખાસ અદાલતમા ડીફોલ્ટ બેઈલની અરજીઓ રજુ કરી રજુઆતો કરેલ હતી કે પોલીસ તપાસનો 90 દિવસનો સમયગાળો વધારી આપવાનો હુકમ કરતા પહેલા ખાસ અદાલતે તેઓને રજુઆત કરવાની તક આપેલ નથી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow