કરોડોના વિકાસ કામો કરતી નિઝર તા. પંચાયતની દિવાલ જ જર્જરિત

કરોડોના વિકાસ કામો કરતી નિઝર તા. પંચાયતની દિવાલ જ જર્જરિત

તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત કચેરીનું કમ્પાઉન્ડ વોલમા કેટલા સમયથી તિરાડો પડીને જર્જરિત હાલતમા છે.દર વર્ષે નિઝર તાલુકા પંચાયત કચેરીમા વિકાસના કામો માટે સરકાર દ્વારા કોરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.છતાં પણ નિઝર તાલુકા પંચાયત કચેરીના ચારે તરફ ફરતો જર્જરિત બનેલ કમ્પાઉન્ડ વોલ નવો બનાવવામાં આવેલ નથી.

ઘણા સમયથી જર્જરિત અને તિરાડો પડી ગયેલ આ તાલુકા પંચાયત કચેરીનું કમ્પાઉન્ડ વોલ જવાબદાર તંત્રની નજર સામે જ હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યું છે.નિઝર તાલુકા પંચાયત કચેરીના જર્જરિત બનેલા કમ્પાઉન્ડ વોલમા તિરાડો પડી જતા ગમે તે સમયે ધરાશય થવાની શક્યતા લાગી રહી છે. આવાનાર સમયમા કમ્પાઉન્ડ વોલનું ધરાશય થાય અને કમ્પાઉન્ડ વોલની આજુબાજુ માથી અવર-જવર કરતા લોકોઓ સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવી ચર્ચા લોકોમા જોરશોરથી થઇ રહી છે.

દર વર્ષે નિઝર તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકાના છેવડાના ગામડા સુધી વિવિધ યોજના અંતર્ગત કોરોડો રૂપિયાથી વિકાસના કામો કરવામાં આવતા હોય છે. પરંતુ જર્જરિત અને તિરાડો પડી ગયેલ આ તાલુકા પંચાયત કચેરીના નવો કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે જવાબદાર તંત્રને ખાત મુહૂર્ત મળતો નથી.તેમ કહેવાય તો નવાઈ નહી,નિઝર તાલુકામા નાની મોટી મળીને 20 જેટલી ગ્રામ પંચાયતોનું સમાવેશ થાય છે.જેમા 50 થી વધુ ગામો આવેલા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow