વાળ ધોતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ માટે થાય છે હેર ફોલ, સાવધાન થઈ જાવ નહીં તો પડી જશે ટાલ

વાળ ધોતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ માટે થાય છે હેર ફોલ, સાવધાન થઈ જાવ નહીં તો પડી જશે ટાલ

જો તમારા વાળ સતત ખરતા હોય તો આ સમાચાર તમારા કામના છે. વાળ ખરવા પાછળનું કારણ તેમને ધોવાની ખોટી રીત પણ હોઈ શકે છે. આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો સ્કેલ્પને યોગ્ય રીતે સાફ કરી શકતા નથી જેના કારણે વાળના ફોલિકલ્સમાં ગંદકી જામી જાય છે અને નવા વાળ ઉગતા નથી અને વાળ તૂટવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે વાળ ધોવાની સાચી રીત જાણવી જોઈએ.

વાળ ધોવાની સાચી રીત
શેમ્પૂ કરવાના 30 મિનિટ પહેલા વાળમાં તેલ લગાવો.
આ પછી તમારા વાળને સારી રીતે ભીના કરો.
શેમ્પૂને સ્કેલ્પમાં સારી રીતે લગાવીને મસાજ કરો.
વાળ ધોયા બાદ ટીપ્સ પર કન્ડિશનર લગાવીને 2 મિનિટ પછી માથું ધોઈ લો.
હવે વાળને કુદરતી હવામાં સુકાવો.

વાળને નુકસાન પહોંચાડે છે આ ભૂલો
વાળ ધોયા પછી ભીના વાળમાં કાંસકો કરવાનું ટાળો કારણ કે તેનાથી વાળ નબળા પડે છે અને ખરવા લાગે છે અને જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો લોકોને ટાલ પણ પડવા લાગે છે.
અઠવાડિયામાં 2 થી 3 વખતથી વધારે વખત વાળ ધોવાનું ટાળો, આમ કરવાથી વાળ તૂટે છે અને ડ્રાય થઈ જાય છે.
વાળ ધોયા પછી તરત જ તેલ ક્યારેય ન લગાવવું જોઈએ તેનાથી વાળ નબળા પડે છે.
સૌપ્રથમ વાળ સુકાવો, પછી હળવો કાંસકો કર્યા પછી માથામાં તેલના થોડા ટીપાં લઈને તેની માલિશ કરો.

કંડિશનરનો ઉપયોગ કરવાની સાચી રીત
બજારમાં મળતા કન્ડિશનરની જગ્યાએ એલોવેરાનો ઉપયોગ કરો.
એલોવેરા અઠવાડિયામાં બે વાર માથા પર અવશ્ય લગાવવું જોઈએ.
વાળ ધોયા પછી ટીપ્સ પર કન્ડિશનર લગાવવું જોઈએ.
હવે તેને 2 થી 3 મિનિટ રહેવા દો.
પછી પાણીથી માથું ધોઈ લો.
ધ્યાન રાખો કે માથાની ચામડી પર કંડીશનર ન લગાવો.

વાળ સુકવવાની સાચી રીત
હેર ડ્રાયરની ગરમ હવા વાળને નબળા પાડે છે.
તમે વાળને કપડાથી ઘસીને સુકવકા બોવ તો બંધ કરી દો, આના કારણે તે તૂટવા લાગે છે.
કુદરતી હવા વાળને સૂકવવા માટે પૂરતી છે.
તમારા વાળ થોડા કલાકોમાં સંપૂર્ણપણે સુકાઈ જશે.
જો તનમે જલ્દીમાં છો તો વાળ પર ટુવાલ લપેટી અને વધારાનું પાણી બહાર કાઢો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow