USમાં મોટા ભાગના ગુનામાં દોષી પરિચિત હોય છે

USમાં મોટા ભાગના ગુનામાં દોષી પરિચિત હોય છે

અમેરિકામાં ગુનાહિત સત્યકથાઓ પર આધારિત જાણકારીની લોકપ્રિયતા વધી રહી છે. તેનાથી પ્રેરિત થઇને ત્યાંની મહિલાઓ તેમના નેટવર્કમાં રહેલા લોકોની અંગત જાણકારી એકત્ર કરી રહી છે. આ લોકોમાં સહકર્મી, મિત્ર અથવા પૂર્વ સાથી સામેલ છે. જાણકારી રેકોર્ડ કરવા માટે ખાસ પ્રકારના ફોલ્ડર ‘ઇફ આઇ ગો મિસિંગ’ (જો હું ગુમ થઇ જાઉં)નો ઉપયોગ થાય છે.

દસ્તાવેજના આ ફોલ્ડરમાં સૌથી પહેલા પોતાની તસવીરની સાથે ઓળખ માટે કોઇ બર્થમાર્ક અને ટેટૂ અંગે જણાવવાનું છે. તદુપરાંત આંગળીઓનાં નિશાન અને સોશિયલ મીડિયાથી જોડાયેલી જાણકારી આપવાની છે. તદુપરાંત, તમારી સાથે જોડાયેલા લોકોનાં નામ, સરનામું, એડ્રેસ, ફોન નંબર અને અન્ય વ્યક્તિગત જાણકારીને સામેલ કરાય છે. ત્યાં સુધી કે ડીએનએ માટે સેમ્પલ તરીકે વાળ વગેરેને પણ ફોલ્ડરમાં રખાય છે.

આ ફોલ્ડરને જાતે પણ બનાવી શકાય છે. તે ઑનલાઇન પણ ઉપલબ્ધ છે. સામાન્યપણે મહિલાઓ સાથે જોડાયેલા મોટા ભાગના ગુનાઓમાં કોઇ પરિચિત જ દોષી હોય છે. એવામાં કેટલીક મહિલાઓનું માનવું છે કે આ ફોલ્ડરથી તેઓને દુનિયામાં થોડું નિયંત્રણ મેળવવાની અનુભૂતિ થાય છે. જ્યારે તેઓ કોઇ અપ્રિય ઘટનાના શિકાર થાય છે, ત્યારે બની શકે કે તેઓ દોષીને પકડવામાં મદદ કરી શકે. લોસ એન્જલસ પોલીસ અધિકારી અનુસાર આવી જાણકારી ઉપયોગી છે. તે ગુના બાદ મળતી ટિપ્સ તરીકે મદદ કરી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow