5 હજારથી વધુ શિક્ષકો ચૂંટણી ફરજમાં, શાળાઓમાં 50 % સ્ટાફથી ભણાવાય છે

5 હજારથી વધુ શિક્ષકો ચૂંટણી ફરજમાં, શાળાઓમાં 50 % સ્ટાફથી ભણાવાય છે

વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યાં છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માત્ર 50% સ્ટાફથી શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક સહિતના કુલ અંદાજિત 5 હજારથી વધુ શિક્ષકોને ચૂંટણીના ઓર્ડર થઇ જતા મોટાભાગના શિક્ષકો ચૂંટણી ફરજ પર હોવાને કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પર પણ અસર થઇ છે. હાલ માત્ર 50% સ્ટાફ સાથે શૈક્ષણિક કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાની એક હજારથી વધુ શાળાઓમાં પણ મતદાન મથક ફાળવવામાં આવ્યું છે જેથી ચૂંટણીના એક દિવસ પહેલા અને પછી પણ રજા જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી કામગીરી માટે મોટાભાગના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના ઓર્ડર કાઢ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને નોન ટીચિંગના કાયમી કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. મતદાનના અગાઉના એક દિવસે તારીખ 30મીએ તૈયારી માટે આ શાળાઓમાં રજા રહેશે. ચૂંટણીના એક દિવસ પહેલા મોટાભાગના સ્ટાફને મતદાન મથકો પર પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આ બિલ્ડિંગમાં મતદાનની તૈયારીઓને લઈને તારીખ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવશે. જેના પગલે શાળાઓમાં પણ મિનિ વેકેશનનો માહોલ રહેશે.

રાજકોટ જિલ્લામાં 5 હજારથી વધુ શિક્ષકોના ચૂંટણી ફરજના ઓર્ડર થતા ચૂંટણી સંબંધિત જુદી જુદી તાલીમ માટે હાલ તેઓ શાળામાં આવી રહ્યા નથી. જેના કારણે જિલ્લાની મોટાભાગની શાળાઓમાં માત્ર 50% સ્ટાફથી જ શિક્ષણનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. હાલ વિદ્યાર્થીઓ શાળાએ નિયમિત રીતે ભણવા તો આવી રહ્યાં છે પરંતુ શાળામાં ભણાવવા માટે શિક્ષકો ઓછા હોવાની સ્થિતિ સર્જાઈ છે. ઓછા શિક્ષકોને કારણે વિદ્યાર્થીઓને પણ જુદા-જુદા વિષયોના અભ્યાસક્રમ ભણવામાં મુશ્કેલી પડી રહી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow