અંબાજીમાં ફરી મોહનથાળનો વિવાદ સરકારે ગુણવત્તાની ખાતરી માગી

અંબાજીમાં ફરી મોહનથાળનો વિવાદ સરકારે ગુણવત્તાની ખાતરી માગી

અંબાજી મંદિરમાં ચીકી અને મોહનથાળ વચ્ચેનું દ્વંદ્વ માંડ શમ્યું ત્યાં ફરીથી મોહનથાળને લઇને વિવાદ ખડો થયો છે. બનાસકાંઠાના તોલમાપ વિભાગે અંબાજી મંદિરના વહીવટદારને પત્ર લખીને કહ્યું છે કે અહીં મંદિરની ગાદી પરથી વેચાતા મોહનથાળને લઇને ફરિયાદ મળી છે, તે અન્વયે તમારે કાર્યવાહી કરવી જોઇએ. તોલમાપ વિભાગે મંદિરના વહીવટદારને કહ્યું છે કે આ પ્રસાદના પેકેટ પર ઉત્પાદકનું નામ, પિનકોડ સાથેનું સરનામું, વજન, કિંમત, મોહનથાળ બનાવ્યાની તારીખ અને એક્સપાઇરી ડેટ વગેરેનો ઉલ્લેખ હોવો જોઇએ.

ફરીથી મોહનથાળને લઇને વિવાદ ખડો થયો
આ બાબતે તોલમાપ વિભાગના ઇન્સ્પેક્ટર વી.વી. ચૌધરીએ જણાવ્યું કે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે અંબાજી મંદિરમાં વેચાતો મોહનથાળનો પ્રસાદ પેકેટ પર જરૂરી ઉલ્લેખ ધરાવતો નથી. આ અગાઉ પણ એકાદ અઠવાડિયા પહેલા જ્યારે મંદિરમાં વેચાતા પ્રસાદ સંદર્ભે જ્યારે અમારી વહીવટદાર સાથે બેઠક થઇ હતી ત્યારે આદર્શ પ્રમાણ હોવું જરૂરી છે તેમ કહેવાયું હતું. તેમ છતાં આ મંદિરની ગાદી પરથી વેચાતા પ્રસાદમાં ક્યાંક આ બાબત ધ્યાનમાં આવતાં અમે વહીવટદારને પત્ર લખ્યો છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow