સૌરાષ્ટ્રમાં આજથી હળવો વરસાદ પડવાની સંભાવના

સૌરાષ્ટ્રમાં આજથી હળવો વરસાદ પડવાની સંભાવના

રાજકોટમાં શુક્રવારે મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું હતું. હવામાનવિભાગના જણાવ્યાનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી હળવા વરસાદની સંભાવના છે. 21 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. છેલ્લા ત્રણ વર્ષથી પેટર્ન બદલાતા ચોમાસું આ વખતે પણ ઓકટોબર મહિનામાં વિદાય લેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

વધુમાં હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચોમાસું વિદાય લીધા બાદ એક મહિનો મિશ્ર વાતાવરણ રહેશે. જેમાં દિવસમાં ગરમી અને રાત્રે ઠંડક રહેશે. ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો વધશે. આ વખતે ઓગસ્ટ મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માત્ર વરસાદી ઝાપટાં જ પડ્યા છે. ખેતી માટે હજુ એક-બે વરસાદી રાઉન્ડની જરૂર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જો વરસાદ નહી આવે તો ખેતીમાં મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન જવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow