રાજકોટ યાર્ડમાં 11 લાખ કિલો શાકભાજી ની આવક

રાજકોટ યાર્ડમાં 11 લાખ કિલો શાકભાજી ની આવક

ઠંડીની શરૂઆત થતા જ નવા શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં શુક્રવારે 11 લાખ કિલો શાકભાજી આવ્યું હતું જેમાંથી શિયાળુ શાકભાજીની આવક 80 ટકા ગણી શકાય. આવક વધવાને કારણે હવે શાકભાજીના ભાવ પણ સસ્તા થયા છે. હાલ લગ્નસિઝન માટે કેટરિંગ, હોટેલ-રેસ્ટોરન્ટ વગેરે માટે ખરીદી વધી છે. શિયાળુ શાકભાજીની આવક થવાને કારણે ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ ખેડૂતો હવે વહેલી સવારથી શાકભાજી લઇને આવી રહ્યા છે. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહનોને પણ લાઇનમાં જ પ્રવેશ આપવામાં આવે છે.

જો કે દિવાળી પૂર્વે જ શિયાળુ શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે વરસાદને કારણે તેની અસર શાકભાજીના પાક પર થઈ હોવાથી શિયાળુ શાકભાજી 15 દિવસ મોડા આવ્યા છે. અત્યાર સુધી ટમેટા, રીંગણા, મરચા વગેરે બીજા રાજ્યમાંથી મગાવવામાં આવતા હતા પરંતુ હવે સ્થાનિક આવક વધી હોવાને કારણે રાજકોટમાંથી શાકભાજી બીજા રાજ્યમાં મોકલવામાં આવશે. બટેટા, ડુંગળી, કોથમરી, લીંબુ, ટમેટા, વટાણા, વાલોળ સહિત કુલ 34 શાકભાજી આવી રહ્યા છે. હજુ આવક વધવાની શક્યતા છે.

શિયાળુ શાકભાજીને કારણે યાર્ડમાં પણ ભાવ કાબૂમાં આવ્યા છે. અત્યારથી જ શાકભાજી રૂ. 50થી 10ના કિલો લેખે વેચાઈ રહ્યા છે. જો કે શિયાળામાં જ્યારે શાકભાજીની આવક વધી જતી હોય છે અને પૂરતા ભાવ મળતા નથી હોતા ત્યારે કેટલાક શાકભાજી ગૌશાળા અથવા તો સામાજિક સંસ્થા કે જે ગરીબ લોકોને જમાડે છે તેને વિનામૂલ્યે આપવામાં આવે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow