White Breadને નાસ્તામાં ખાતા હોવ તો આજે જ ચેતી જજો, નહીં તો તમારા સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન

White Breadને નાસ્તામાં ખાતા હોવ તો આજે જ ચેતી જજો, નહીં તો તમારા સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન
વ્હાઈટ બ્રેડ આપણને બધાને ભાવતી હશે. તેની રેસિપી ફટાફટ બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેના કેટલા નુકસાન થઈ શકે છે?

સફેદ બ્રેડ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ખાસ કરીને સવારના નાસ્તામાં, આપણે તેને સેન્ડવીચ તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. અથવા તેને ટોસ્ટના રૂપમાં પણ ખાવામાં આવે છે. આ પ્રકારની ડિશ તૈયાર કરવામાં વધુ સમય નથી લાગતો તેથી સવારે ઓફિસ કે શાળાએ જતી વખતે તેને અનુકુળતાએ ફટાફટ બનાવી શકાય છે. પરંતુ ઘણા લોકો સફેદ બ્રેડથી થતા નુકસાન નથી જાણતા.

મીઠાનું વધારે પ્રમાણ
મોટાભાગની સફેદ બ્રેડમાં મીઠાનું પ્રમાણ અને પ્રિઝર્વેટિવ્સ ખૂબ જ વધુ હોય છે. કારણ કે માર્કેટ સુધી પહોંચતા તેને ધણા દિવસો પણ લાગે છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી. કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે. જે લોકો સફેદ બ્રેડનું ખૂબ સેવન કરે છે, તેમના માટે આ જોખમ વધુ છે.  

વધી શકે છે વજન
સફેદ બ્રેડમાં કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ શુગર અને મીઠું વધુ માત્રામાં હોય છે. જે આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો બ્લડ શુગર લેવલ અને ફેટ ઝડપથી વધે છે. જેનાથી ડાયાબિટીસ અને વજન વધવાનો ખતરો રહે છે.  

હાર્ટ હેલ્થ માટે નુકસાનકારક
બ્રેડમાં સોડિયમની માત્રા વધુ હોવાને કારણે બીપી વધવાનો ખતરો રહે છે. હાઈ બ્લડ પ્રેશરનો અર્થ એ છે કે લોહીને હૃદય સુધી પહોંચવા માટે નશો દ્વારા દબાણ કરવું પડે છે. જેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસ્લ ડિસીઝ અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow