સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, મોંઘવારી ભથ્થામાં આવતા વર્ષે થશે આટલો વધારો, જાણો આંકડાઓ

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, મોંઘવારી ભથ્થામાં આવતા વર્ષે થશે આટલો વધારો, જાણો આંકડાઓ

નવી દિલ્હી:  કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં આવતાં વર્ષે વધારો થઇ શકે છે. સરકાર આવતાં વર્ષની શરૂઆતમાં મોંઘવારી ભથ્થું DAમાં વધારો કરી શકે છે. મોંઘવાકી ભથ્થામાં દરવર્ષે 2 વખત વધારો કરવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓને જૂલાઇ 2022થી 38% મોંઘવારી ભથ્થું મળતું હતું. ડીએમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ AICPIનાં આંકડાઓને આધારે કરવામાં આવે છે. કર્મચારીઓને સરકાર DA ફાળવે છે તો પેન્શનર્સને DR એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે.

જાન્યુઆરી 2023માં DAમાં થશે વધારો
મોંઘવારી ભથ્થાંમાં હવે વધારો જાન્યુઆરી 2023માં થશે. જૂલાઇથી સપ્ટેમ્બર સુધી મોંઘવારીનાં આંકડાઓ આવી ચૂક્યા છે અને નવેમ્બરનાં અંતમાં ઓક્ટોબરની મોંઘવારીનાં આંકડા મળી જશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે DAમાં આવતાં વર્ષે 4% જેટલો વધારો શક્ય છે. જો એવું થાય છે તો મોંઘવારી ભથ્થું વધીને 42% જેટલી થઇ શકે છે.  પાછલા મહિને રિટેલમાં મોંઘવારી ઓછી જોવા મળી પરંતુ ગ્લોબલ ઇન્ફેલેશન અત્યારે પણ ઉપર વધેલ દેખાઇ રહી છે.

2 વખતમાં 7% જેટલો વધારો
વર્ષ 2022માં સરકારે 2 વખતમાં સરકારી કર્મચારીઓનાં ડીએમાં 7% જેટલો વધારો કર્યો છે. જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થાંને 31%થી વધારીને 34% કરી દેવામાં આવ્યુ હતું. આવી રીતે સરકારે 3% જેટલો વધારો કર્યો. જૂલાઇમાં સરકારે ડીએમાં 4% જેટલો વધારો કરતાં આ આંકડો 34%થી વધીને 38% થયું. સરકાર આ પગલાં થકી 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનર્શને ફાયદો આપી રહી છે.

50% થતાં જ તેનો સમાવેશ થશે બેસિક સેલેરીમાં
કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંનું રિવિઝન દર 6 મહિને કરવામાં આવે છે. પરંતુ 7માં પગાર પંચ દ્વારા તેમાં એક શરત જોડવામાં આવી છે કે જ્યાકે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% એ પહોંચશે ત્યારે તે પૈસા કર્મચારીઓની મૂળભૂત સેલેરીમાં જોડી દેવામાં આવશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow