ગેરેજમાં કાર સર્વિસ કરવા આપતા પહેલા જરૂર ફૉલો કરો આ 3 ટિપ્સ, નહીંતર લૂંટાઈ જશો

ગેરેજમાં કાર સર્વિસ કરવા આપતા પહેલા જરૂર ફૉલો કરો આ 3 ટિપ્સ, નહીંતર લૂંટાઈ જશો

જ્યારે આપણે નવી કાર ખરીદીએ છીએ, ત્યારે તેની સાથે કેટલીક પ્રારંભિક સર્વિસ ફ્રી હોય છે. જો કે, સમયની સાથે આપણા વાહનનો સર્વિસ ચાર્જ વધતો જાય છે. કંપનીઓ વાહનને તેમના અધિકૃત સેવા કેન્દ્રો પર જ લઈ જવાની સલાહ આપે છે. જો કે, ત્યાં લાદવામાં આવતા સર્વિસ ચાર્જ ઘણા લોકોના ખિસ્સા પર ભારે છે. આ ઉપરાંત, ત્યાં સમય પણ ઘણી વખત વધુ લે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેમની કાર લોકલ મિકેનિક પાસેથી જ સર્વિસ કરાવે છે. જો તમે પણ એવા ગ્રાહકોમાંથી એક છો કે જેઓ લોકલ મિકેનિક દ્વારા તેમના વાહનની સર્વિસ કરાવે છે, તો ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે. નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. અહીં અમે તમને આવી જ 3 ટિપ્સ જણાવી રહ્યા છીએ.

1. એન્જીન ઓઈલ
કારની સર્વિસ દરમિયાન સૌથી મહત્વનું કામ એંજીન ઓઈલ બદલવાનું છે. સૌથી પહેલાં તો એ જુઓ કે તમારી કારમાંથી જે જુનું ઓઈલ નીકળ્યું છે, શું તે ખરેખર ચલાવવા લાયક નથી? ઘણી વખત મિકેનિક્સ પૈસા કમાવવા માટે સારું ઓઈલ પણ કાઢી નાખે છે. જો કે ઓઈલ કાળું થઈ ગયું હોય તો તેને બદલવું જોઈએ. તે પણ તપાસવું જોઈએ કે કાર મિકેનિક જે ઓઈલ નાખે છે તે સારી ગુણવત્તાનું છે કે નહી.

2. કૂલન્ટ
અધિકૃત સેવા કેન્દ્રનો સૌથી મોટો ફાયદો એ છે કે તેઓ તમારા જણાવ્યા વગર તમામ જરૂરી ભાગોને તપાસે છે અને જ્યાં જરૂરી હોય ત્યાં ફરીથી રીફીલ પણ કરે છે. શીતક(કૂલન્ટ) પણ એક એવો ભાગ છે, જે સમય જતાં રિફિલ કરવામાં આવે છે. લોકલ મિકેનિક્સ ઘણીવાર આ કામ ભૂલી જાય છે. તેથી, લોકલ મિકેનિક પાસેથી સર્વિસ કરાવતી વખતે, કૂલન્ટને ટોપ અપ કરવાની ખાતરી કરો.

3. એર ફિલ્ટર
જ્યારે પણ તમે તમારી કારની સર્વિસ કરાવવા જાઓ ત્યારે એકવાર એર ફિલ્ટર ચેક કરો. કેટલીકવાર એર ફિલ્ટર લીકેજ કે તૂટેલ હોય છે. જો એર ફિલ્ટર ક્ષતિગ્રસ્ત છે, તો તેને બદલવું વધુ સારું છે. લોકલ મિકેનિક્સ ઘણીવાર જૂના એર ફિલ્ટરને સાફ કરીને અને તેણે ફરીથી ફીટ કરે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow