રાજકોટ યાર્ડમાં વાહનોને સવારે 5 કલાકે પ્રવેશ

રાજકોટ યાર્ડમાં વાહનોને સવારે 5 કલાકે પ્રવેશ

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે યાર્ડમાં રહેલા ધાણા સહિતની જણસી પલળી ગઈ હતી. હજુ એપ્રિલમાં પણ વરસાદની આગાહી છે ત્યારે બેડી યાર્ડે હરાજી માટે નવી વ્યવસ્થા ગોઠવી છે જેમાં મગફળી, લસણ,ધાણા, ઘઉં, ચણા, એરંડામાં આ વ્યવસ્થા અમલી કરાશે. આ જણસી ભરેલા વાહનોને સવારે 5.00 કલાકે પ્રવેશ આપી દેવામાં આવશે. હરાજીના ત્રીસ મિનિટ પહેલા વાતાવરણ જોવામાં આવશે કે વાતાવરણ કેવું છે ત્યાર બાદ હરાજીનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે બાકીની જણસી રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ જણાવ્યું છે.

વધુમાં તેણે જણાવ્યુ હતું કે, આ જણસી છે તે ખુલ્લામાં રાખવામાં આવે છે. જો વરસાદ આવે તો જણસી પલળી જાય તો વેપારી,ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. જ્યાં સુધી આદેશ નહિ મળે ત્યાં સુધી આ વાહનો ઢાંકીને જ રાખવાના રહેશે. જો વાતાવરણ ચોખ્ખું હશે તો હરાજી માટે કરવામાં આવશે અન્યથા જણસી ભરેલા વાહનો એમને એમ યથાવત જ રાખવામાં આવશે. આ વ્યવસ્થા આગામી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ આ વ્યવસ્થા યથાવત રાખવી કે તેમાં બદલાવ કરવો તે પછી નિર્ણય લેવામાં આવશે. જો કે જ્યાં સુધી હરાજી નહિ થાય ત્યાં સુધી ખેડૂતો પોતાના વાહનો યાર્ડમાં રાખી શકે તેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow