દુર્ગા પંડાલમાં ભીષણ આગમાં 5નાં મોત

દુર્ગા પંડાલમાં ભીષણ આગમાં 5નાં મોત

ઉત્તરપ્રદેશના ભદોહીમાં રવિવારે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીંના એક દુર્ગા પંડાલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 5 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 3 બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 52 લોકો દાઝી ગયા હતા, 33ની હાલત ગંભીર છે. તેમને વારાણસીના BHUમાં રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ઔરાઈ વિસ્તારના નરથુઆમાં બની હતી. દુર્ઘટના સમયે પંડાલમાં લગભગ 150 લોકો હાજર હતા એવું જાણવા મળી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આગ ત્યારે લાગી ત્યારે આરતી થઈ રહી હતી. એને કારણે હોબાળો મચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. લોકોની ભારે ભીડને કારણે લોકો બહાર આવે એ પહેલાં જ આગની ઝપેટમાં આવી ગયા હતા. આસપાસના લોકોએ જેમ તેમ કરીને લોકોને બહાર કાઢ્યા. એક પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. ત્યાર પછી એ આખા પંડાલમાં ફેલાઈ ગઈ હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow