દૂધસાગર ડેરીએ સાગરદાણની 70 કિલોની બેગમાં 100 વધાર્યા

દૂધસાગર ડેરીએ સાગરદાણની 70 કિલોની બેગમાં 100 વધાર્યા

દૂધસાગર ડેરી દ્વારા ચાર મહિના બાદ સાગરદાણમાં 70 કિલોની બેગના ભાવમાં ફરી વધારો લાગુ કરાયો છે.પશુપાલકોને 70 કિલો સાગરદાણની પ્લાસ્ટીકની બેગ રૂ. 1400માં પડતી હતી, તે હવે રૂ. 1500માં પડશે અને શણબેગ રૂ. 1500 ભાવ હતા તે વધીને રૂ. 1600 થયા છે.એટલે પશુપાલકોના ખિસ્સામાંથી પશુઓના આહાર સાગરદાણ માટે રૂ.100 નો ભાવ વધારો અમલમાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, કાચા માલના ભાવમાં ઘણા સમયથી વધારો થવાના કારણે સાગરદાણના ભાવમાં વધારો થયો છે.

પશુપાલકોને પ્રતિ કિલો દૂધના ભાવમાં વધારો મળતાં એક હાથમાં આવક તો સાગરદાણમાં કમરતોડ ભાવ વધારાથી બીજા હાથે પશુઆહાર પાછળ ખર્ચ વધારો આવ્યો છે.ગત જુન મહિનાના અરસામાં સાગરદાણના ભાવમાં વધારો થયો હતો ત્યારપછી ફરી સાગરદાણના ભાવમાં તોતીગ વધારો આવ્યો છે.

મહેસાણા દૂધસાગર ડેરીના સુત્રોએ કહ્યુ કે, કાચા માલના ભાવ વધતા અન્ય ડેરીઓએ દાણના ભાવમાં અગાઉથી વધારો કરેલો છે, મહેસાણા દૂધસાગર ડેરીએ હવે રૂ. 100 વધારો અમલમાં કર્યો છે.મહેસાણા દૂધસાગર ડેરી દરરોજ અંદાજે 700 મેટ્રીક ટન સાગરદાણનું વેચાણ થયુ હોય છે, એટલે કે રોજીદી અંદાજે 11400 જેટલી સાગરદાણ બોરીનો પશુઆહારમાં ઉપાડ રહે છે. આ વેચાણના આંકડાના આંકલન પર નજર કરીએ તો હવે ભાવ વધારાના કારણે રોજીદા પશુપાલકોના ખિસ્સામાંથી પશુઓના આહાર માટે કુલ અંદાજે રૂ.11 લાખ વધુ ખર્ચાશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow