દુબઇની ફંડામેન્ટલ હોસ્પિટાલિટી લંડન, મિયામી અને માર્બેલામાં 18 રેસ્ટોરન્ટ્સ ખોલશે‎

દુબઇની ફંડામેન્ટલ હોસ્પિટાલિટી લંડન, મિયામી અને માર્બેલામાં 18 રેસ્ટોરન્ટ્સ ખોલશે‎

દુબઇ એક સમયે એવું શહેર હતું, જ્યાં‎દુનિયાના બીજા હિસ્સામાંથી‎રેસ્ટોરન્ટ્સ ઇમ્પોર્ટ કરવામાં આવતા‎હતા. એટલે કે અહીં પોતાનું કોઇ‎પ્રસિદ્ધ સ્વાદ અથવા વિશેષ વ્યંજનો‎ધરાવતું રેસ્ટોરન્ટ ન હતું. પરંતુ હવે‎દુબઇની સ્થાનિક રેસ્ટોરન્ટ બ્રાન્ડ‎બીજા દેશો અને શહેરોમાં વિસ્તરણ‎કરી રહી છે. જેમ જેમ વિસ્તારનો‎હોસ્પિટાલિટી બિઝનેસ વધી રહ્યો છે.‎ફાસ્ટ કેઝ્યુઅલથી લઇને ફાઇન‎ડાઇનિંગ સુધી, અમીરાતના કેટલાક‎મશહૂર રેસ્ટોરન્ટ્સ દુનિયાભરમાં હવે‎વિસ્તરણ કરી રહ્યાં છે. દુબઇની‎ફંડામેન્ટલ હોસ્પિટાલિટી વર્ષ 2024‎સુધી લંડન, મિયામી અને માર્બેલા‎(સ્પેન) જેવા ડઝનથી વધુ લોકેશનમાં‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎18 રેસ્ટોરન્ટ્સ અને ક્લબ‎કોન્સેપ્ટ્સના વિસ્તાર પર 140‎મિલિયન ડોલર (અંદાજે 1,165 કરોડ‎રૂપિયા) ખર્ચ કરશે. કિનોયા નામનું‎રેસ્ટોરન્ટ લંડનના માર્કેટમાં પ્રવેશ‎કરવા જઇ રહ્યું છે. બીજી તરફ આ જ‎વર્ષના ડિસેમ્બર સુધી બે મિશનિલ‎સ્ટાર હાંસલ કરનાર ટ્રેસિંડ સ્ટૂડિયો‎નામનું રેસ્ટોરન્ટ, અનેક ભારતીય‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎શહેરોમાં બ્રાન્ચ ખોલવાની તૈયારી‎કરી રહ્યું છે. દુબઇના સનસેટ‎હોસ્પિટાલિટી ગ્રુપના સીઇઓ‎એન્ટોનિયો ગોન્ઝાલેઝ કહે છે કે,‎“લાંબા સમય સુધી દુબઇમાં પ્રોપર્ટીના‎માલિક પ્રખ્યાત ઇન્ટરનેશનલ‎રેસ્ટોરન્ટ્સને જ જગ્યા આપે છે.‎તેમના માટે કોઇ સ્થાનિક રેસ્ટોરન્ટનો‎આઇડિયા કોઇ ફાયદાનો સોદો‎લાગતો નથી. પરંતુ હવે સ્થિતિ‎બદલાઇ છે. દુબઇમાં વિદેશી બ્રાન્ડને‎બોલાવવાને બદલે અહીંની બ્રાન્ડ્સ‎બીજા દેશોમાં વિસ્તરણ કરી રહી છે.‎

કિનોયાની શરૂઆત કરનારી શેફ‎નેહા મિશ્રાએ વર્ષ 2018માં જ ઘરમાં‎જ સપર ક્લબની શરૂઆત કરી હતી.‎6,000થી વધુ મુલાકાતીઓને સર્વિસ‎આપ્યા બાદ તેઓએ રેસ્ટોરન્ટ ખોલ્યું.‎રસપ્રદ વાત એ છે કે 2022માં તેને‎મિડલ ઇસ્ટ નોર્થ આફ્રિકાના 50 શ્રેષ્ઠ‎રેસ્ટોરન્ટ્સમાં સામેલ કરાયું હતું.‎વાસ્તવમાં દુબઇને હવે એક અસ્થાયી‎શહેર તરીકે જોવામાં આવતું નથી,‎જ્યાં પ્રવાસીઓ ત્રણ વર્ષ માટે આવશે,‎ટેક્સ ફ્રી પૈસા કમાશે અને પરત ફરશે.‎અહીં આવતા, લાંબા સમય સુધી‎રહેતા અને વસવાટ કરતા લોકોની‎સંખ્યા સતત વધી રહી છે.‎

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow