માનસિક રોગને ઉપહાસથી ન જુઓ, અમુક લક્ષણો સકારાત્મક હોય છે!

માનસિક રોગને ઉપહાસથી ન જુઓ, અમુક લક્ષણો સકારાત્મક હોય છે!

‘મનોરોગી’ શબ્દ સાંભળતા જ દરેકની આંખો સામે હિંસક કે ગુનેગાર ચહેરાની તસવીર તરી આવે છે. પરંતુ કેટલાક મનોવિજ્ઞાનીઓ મુજબ માનસિક રોગીઓને ધિક્કારવા કે તેનાથી ડરવું યોગ્ય નથી. કેટલાંક લક્ષણો હકારાત્મક પણ હોય છે. જો તે લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો તેમનાથી ઘણો લાભ પણ ઉઠાવી શકાય છે.

ઇંગ્લેન્ડની ડર્બી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાઈકોલોજીના લેક્ચરર લેવિસ વોલેસ મુજબ માનસિક લક્ષણો દરેકમાં અમુક અંશે હાજર હોય છે પરંતુ તેમને વારેઘડિયે પરેશાન કરવા કે કલંક લગાડવું યોગ્ય નથી. માત્ર હિંસક અથવા ગુનાહિત લાક્ષણિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત ના કરો. મનોરોગીઓમાં હાજર હકારાત્મક વલણને પણ જુઓ.

‘ધ માસ્ક ઓફ સેનિટી’ પુસ્તકના લેખક અને પ્રખ્યાત અમેરિકન મનોચિકિત્સક હર્વે ક્લેકલેએ મનોરોગી પર હાથ ધરાયેલા અભ્યાસને ટાંકીને જણાવ્યું કે એક મનોરોગી દામ્પત્યજીવનમાં બેવફા, નિર્દયી અને ડ્રગનો વ્યસની હતો, પરંતુ તેનાં હકારાત્મક લક્ષણો એ હતાં કે તે સખત મહેનત કરતો હતો. જો તેની અન્ય આદતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેના મહેનતુ સ્વભાવનો સંબંધિત ક્ષેત્રમાં લાભ લઈ શકાય. મનોવિજ્ઞાનીઓ કહે છે કે સંશોધકો મોટે ભાગે મનોરોગીઓ અંગેનો અભ્યાસ જેલના કેદીઓ પર કરતાં હોય છે. તેથી જ પુસ્તકો અને ફિલ્મોમાં ખતરનાક અને હિંસક ગુનેગાર તરીકે વર્ણવવામાં આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow