માનસિક રોગને ઉપહાસથી ન જુઓ, અમુક લક્ષણો સકારાત્મક હોય છે!

માનસિક રોગને ઉપહાસથી ન જુઓ, અમુક લક્ષણો સકારાત્મક હોય છે!

‘મનોરોગી’ શબ્દ સાંભળતા જ દરેકની આંખો સામે હિંસક કે ગુનેગાર ચહેરાની તસવીર તરી આવે છે. પરંતુ કેટલાક મનોવિજ્ઞાનીઓ મુજબ માનસિક રોગીઓને ધિક્કારવા કે તેનાથી ડરવું યોગ્ય નથી. કેટલાંક લક્ષણો હકારાત્મક પણ હોય છે. જો તે લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો તેમનાથી ઘણો લાભ પણ ઉઠાવી શકાય છે.

ઇંગ્લેન્ડની ડર્બી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાઈકોલોજીના લેક્ચરર લેવિસ વોલેસ મુજબ માનસિક લક્ષણો દરેકમાં અમુક અંશે હાજર હોય છે પરંતુ તેમને વારેઘડિયે પરેશાન કરવા કે કલંક લગાડવું યોગ્ય નથી. માત્ર હિંસક અથવા ગુનાહિત લાક્ષણિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત ના કરો. મનોરોગીઓમાં હાજર હકારાત્મક વલણને પણ જુઓ.

‘ધ માસ્ક ઓફ સેનિટી’ પુસ્તકના લેખક અને પ્રખ્યાત અમેરિકન મનોચિકિત્સક હર્વે ક્લેકલેએ મનોરોગી પર હાથ ધરાયેલા અભ્યાસને ટાંકીને જણાવ્યું કે એક મનોરોગી દામ્પત્યજીવનમાં બેવફા, નિર્દયી અને ડ્રગનો વ્યસની હતો, પરંતુ તેનાં હકારાત્મક લક્ષણો એ હતાં કે તે સખત મહેનત કરતો હતો. જો તેની અન્ય આદતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેના મહેનતુ સ્વભાવનો સંબંધિત ક્ષેત્રમાં લાભ લઈ શકાય. મનોવિજ્ઞાનીઓ કહે છે કે સંશોધકો મોટે ભાગે મનોરોગીઓ અંગેનો અભ્યાસ જેલના કેદીઓ પર કરતાં હોય છે. તેથી જ પુસ્તકો અને ફિલ્મોમાં ખતરનાક અને હિંસક ગુનેગાર તરીકે વર્ણવવામાં આવે છે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow