CBI દરોડાની વિગત 15 મિનિટમાં જ લીક થઈ ગઈ

CBI દરોડાની વિગત 15 મિનિટમાં જ લીક થઈ ગઈ

શુક્રવારે સાંજે વિદેશી વ્યાપારની કચેરીમાં જોઈન્ટ ડિરેક્ટર લાંચ લેતા રંગે હાથ પકડાયા હતા. આ રેડ પડી છે આ વાત 15 જ મિનિટમાં લીક થઈ ગઈ હતી. આથી બિશ્નોઈનો અંગત ડ્રાઈવર સ્કોર્પિયો અને સ્કોડા સાથે તેના નિવાસસ્થાને પહોંચે છે. ઘરમાં પડેલા રોકડ, સોના-ચાંદીના ઝવેરાત, સોનુ ખરીદ કર્યાના બિલ જેટલું સમાય તેટલું લઈને ભાગી જાય છે.

20 થી વધુ બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા
આ સિવાય સીબીઆઈની તપાસમાં 5 હજાર અમેરિકી ડોલર, ઝવેરાત, કેટલાક કિંમતી દસ્તાવેજો અને અન્ય વ્યકિતના નામે થયેલા વ્યવહારોની 12 થી વધુ ચેકબૂક મળી છે. સ્કોર્પિયો અને સ્કોડામાં જેટલુ મળે એટલુ ભરીને ઝડપથી નીકળી જાય છે. સીબાઈની તપાસમાં જેટલું મળે છે તે બધુ કબજે લેવામાં આવ્યું છે તેમજ 20 થી વધુ બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. અધિકારીના અલગ-અલગ બેન્કમાં ખાતા હોવાનું માલૂમ પડ્યું છે. અધિકારી બે કાર અને બે ડ્રાઈવર રાખતા હતા. જેમાં એક તેની પાસે સફેદ કલરની સ્કોર્પિયો હતી જે ખૂદ અધિકારી પોતાના વપરાશ માટે રાખતા હતા. જ્યારે સ્કોડા તેનો દીકરો અને દીકરી વાપરતા હતા. બિશ્નોઈના પરિવારજનોની વૈભવી લાઇફ સ્ટાઈલ હતી.

CBIએ માનવતા દાખવી, અધિકારીના પુત્રે તોછડાઈ કરી
સીબીઆઈના અધિકારીએ મૃતકના પરિવાર માટે માનવતા દાખવી હતી. બિશ્નોઈની અંતિમવિધિમાં કે વ્યવહાર માટે પૈસાની જરૂર પડે તો તેને કોઈની લાચારી ના ભોગવવી પડે તે માટે તેને રૂ. 60 હજાર રોકડા આપ્યા હતા અને કહ્યું હતું કે આ તમારી પાસે રાખો. જેથી કરીને તમને ઉપયોગી બની શકે.

પરંતુ બિશ્નોઈના દીકરાએ અધિકારી સાથે તોછડાઈ કરી હતી અને પૈસાનો ઘા કરીને કહ્યું હતું કે આ તમારી પાસે રાખો અમારે નથી જોઈતા. જો કે મૃતકના દીકરાનું આ વર્તન જોઈને અધિકારીમાં પણ રોષ જોવા મળ્યો હતો. સીબીઆઈની તપાસ ચાલુ હતી આમ છતાં બિશ્નોઈની પત્ની કે તેના પુત્રે કોઈએ અધિકારીને પાણીનો પણ આગ્રહ નહોતો કર્યો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow